________________
ઊભો અને બધાના આશ્ચર્ય વચ્ચે વણિકે એક બાણ એવું છોડ્યું કે, પેલા લૂંટારાના એક વાળને પણ વાંકો કર્યા વિના મોતીની માળાને લઈને એ દૂર દૂર ચાલ્યું ગયું ! આવી બાણકળા પર લૂંટારાઓનો આગેવાન આફરીન થઈ ગયો, એણે દૂર ઊભેલા પોતાના એક સાથીને કહ્યું કે, એ બાણ અને મોતીની એ માળા લઈને તું જલદી અહીં આવી જા. આપણે આ કળાવાનની કંઈક કદર કરીએ !
મોતીની માળા લેવા જનારનો પ્રયાસ નિષ્ફળ ન જાય, એ દૃષ્ટિથી વણિકે કહ્યું : એ માણસ આમ ચાલતો જ જશે, તો મોતીની માળા લઈને પાછો ક્યારે ફરશે ? મારું એ બાણ ઓછામાં ઓછું અહીંથી ગાઉથીય વધુ દૂર ગયું હશે, માટે મારો આ ઘોડો લઈને કોઈને એ માળા લેવા મોકલો. એ ઘોડો પણ ખરેખર ઘોડો જ હતો ! એના પગમાં પવનનો વેગ હતો. એક લૂંટારો એ ઘોડા પર ગયો અને થોડી વારમાં બાણ તેમજ મોતીની માળા લઈને એ પાછો આવ્યો.
લૂંટારાઓના સરદારને થયું કે, આવા કળાવાનને લૂંટવાનો ના હોય, આવાની તો લાગણી જીતવાની હોય ! એથી વળતી પળે એણે કહ્યું કે અમારે તમારા ધનની જરૂર નથી. પણ અમારી આટલી એક માંગણી જરૂર સ્વીકારશો : જ્યારે તમે એમ સાંભળો કે, વનરાજ ચાવડો રાજગાદીએ બેઠો છે, ત્યારે તમે વિના વિચારે મારી પાસે ચાલ્યા આવજો ! તમારા જેવા બળવાન અને કુળવાન માણસના હાથમાં મંત્રીપદ હોય, તો આ ગુર્જરને અજેય રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે નહિ, તમારું નામ શું?
આ સાંભળીને એ વણિક સરદારના પગે પડતાં ગળગળા સાદે બોલ્યો : શું વનરાજ આપ પોતે જ છો ? સમગ્ર ગુર્જર રાષ્ટ્ર આજે જેનામાં પોતાના અજેય તારણહારનું કલ્પના-દર્શન મેળવીને અમર આશાના ઝૂલે ઝૂલી રહ્યું છે, એ વનરાજ-ચાવડા શું આજે અત્યારે મારી પર રીઝયા છે ! આપને વળી વનવાસી બનીને આવો મંત્રીશ્વર વિમલ ર૦ ૧૭