SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દંડનાયક વિમલે પસંદગીનો કળશ ઢોળ્યો. એ કલ્પના-ચિત્રને આરસ પર અવતરિત કરવામાં જોકે પાણીના મૂલે પૈસા વહાવવા પડે એમ હતા, પણ એની તો દંડનાયકને ફિકર જ ક્યાં હતી ? જેમણે પૃથ્વી મેળવવા કરોડો ખચ્ય હતા, એઓ પ્રાસાદના નિર્માણમાં ઉદારતા દાખવવામાં થોડી જ કમીના રાખવાના હતા? પૃથ્વી ખરીદાઈ ગઈ હતી, પ્રાસાદનો પ્રકાર પસંદ થઈ ગયો હતો, આરસનો તો મોટો જથ્થો રોજેરોજ આવી જ રહ્યો હતો, જ્યાં સોનાની પોઠો ભરાઈને આવતી હોય, ત્યાં આ બધાની તો વાત જ શી થાય ! અને શિલ્પીઓની સંખ્યા તો ૮૦૦ ઉપર પહોંચવા આવી હતી. આમ બધી પૂર્વભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. પ્રતીક્ષા હવે ફક્ત શુભ-પળની થઈ રહી હતી. એ ઘડી-પળ પણ આવી લાગ્યાં અને તીર્થોદ્ધારનો પાયો ખોદાયો. એક દહાડો શિલા સ્થાપન પણ થઈ ગયું. દંડનાયકે પોતાની ભાવના-સૃષ્ટિને વાચા આપતાં કહ્યું : શિલ્પદેવ ! પાયા એવા પૂરજો કે, ગમે તેવા ઝંઝાવાત પણ આ પાયા પર ઊભા થનારા પ્રાસાદની એક કાંકરીય ખેરવી ન શકે ! જો તમે કહો તો સોનાની ઈટો પડાવું! પણ પાયા પાકા થવા જોઈએ.' શિલ્યદેવે કહ્યું : દંડનાયક ! ઘણાં મંદિરો અમે બાંધ્યાં, પણ તમારી જેવી શક્તિ-ભક્તિ ધરાવતી કોઈ વ્યક્તિ હજી અમને મળી નથી ! અમે કહીએ, તો તો આપ વજની ઈટો પડાવવા સમર્થ છો. પણ આવી કોઈ જરૂર નથી. અમે બધાએ દિલ રેડીને કામ કરવાના શપથ લીધા છે. એથી સોનાની કે વજની ઈંટો વિના પણ આ પાયા એવા પાકા બનાવીશું કે, પ્રલયનો પવન પણ આને ડગમગાવી ન શકે ! શિલ્પદેવની નાભિમાંથી નીકળેલ આ નિષ્ઠા પર દંડનાયક વારી ગયા અને થોડા જ દિવસોમાં આબુનો એ ગિરિપ્રદેશ ટાંકણાઓના સંગીતથી ગુંજી ઊઠ્યો. પડઘાના પુનરાગમનથી એ સંગીતની માધુરી ઓર મસ્ત જણાતી હતી. પાયા પુરાવા માંડ્યા. થોડા દિવસ પછી પાયા પુરાઈ જતાં ચણતર ઉપર વધવા માંડ્યું. અને એક સવારે સૌની મંત્રીશ્વર વિમલ ર૦ ૨૫૩
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy