________________
અને ત્રણ દિશા તરફ દ્વાર મુકાય, તો કુલ ૧૦૮ મંડપવાળું મંદિર બને !' - દંડનાયક વિમલના દિલમાં જ્યારથી તીર્થોદ્ધારનું સ્વપ્ન રમી રહ્યું હતું, ત્યારથી ઘણી વાર એઓ શિલ્પશાસ્ત્રોનું વાંચન કરતા હતા. એમણે પૂછ્યું : શિલ્પદેવ ! મંદિરમાં મંડપ એક મહત્ત્વનું અંગ ગણાય છે, અને ક્યારેક ક્યારેક મંડપનાં જુદાં જુદાં નામ પણ સાંભળવા મળે છે, તો તમે જે એકવીસ મંડપની વાત કહી, તે એકવીસ મંડપનાં નામ શું અલગ અલગ હોય છે?
દંડનાયક વિમલ ! એકવીસ મંડપોને યથાર્થ નામ અપાયેલાં છે. જે ક્રમશઃ આ મુજબ છે : શ્લાઘા, ગૂઢ, નૈવેદ્ય, તંદુલ, સ્નાત્ર, ચોકી, સમવસરણ, નાટક, ગીત, વાજિંત્ર, કૌતુક, ચંદુ, માળા, ઉત્સવ, જય, રંગ, નાળ, બલાણા, મેઘનાદ, માળી અને પોળી આ નામના ૨૧-૨૧ મંડપો, જો ચારે તરફ રચવામાં આવે, તો કુલ ચોરાસી મંડપવાળું ચોમુખ મંદિર બને છે. આમાં શિખરના એક મંડપનો સમાવેશ કરીએ, તો પંચ્યાશી મંડપવાળું વિશાળ મંદિર તૈયાર થાય, દિશાનું પણ ઘણું મહત્ત્વ છે, એથી પૂર્વાભિમુખ પ્રાસાદનો મહિમા ઘણો ઘણો ગાવામાં આવ્યો છે.
શિલ્પદેવની આ શિલ્પજ્ઞતા પર ખુશ થઈ ગયેલા દંડનાયકે પૂછ્યું : મંદિરની શોભા શિખર ગણાય છે, તો શું આ શિખર પણ અનેક પ્રકારનાં હોઈ શકે છે ?
શિલ્પદેવે જવાબમાં એક નવી જ હકીકત તરફ વિમલનું ધ્યાન દોરતાં કહ્યું : આ આબુનો પર્વતીય પ્રદેશ સાંભળવા મુજબ ઘણી વાર ધરતીકંપનો ભોગ બનતો રહે છે, એથી અહીં મંદિર પર મોટું શિખર રચવું હિતાવહ નથી.
આ વાત રજૂ કરીને શિલ્પદેવે શિખરોના આકાર-પ્રકાર અંગે અનેકવિધ માહિતીઓ જણાવીને, શિલ્પી-સંઘે દોરેલાં મંદિરોનાં કલ્પનાચિત્રોનું ક્રમશઃ દર્શન કરાવવા માંડ્યું. એમાંથી એક ચિત્ર પર
૨પર આબુ તીર્થોદ્ધારક