________________
નામની જેમ રમતા હતા. એટલું જ નહિ, દેહના આકાર-પ્રકાર, રૂપ-સ્વરૂપ, લંબાઈ-પહોળાઈ આદિ અનેકવિધ વિશેષતાઓથી એ અગ્રણી સૂત્રધાર તરીકેના સ્થાનને દીપાવે એવો હતો, શિલ્પદેવ ઊભો થયો. એ બોલવા માંડ્યો ને જાણે શિલ્પશાસ્ત્રનાં પાનાંઓને વાચા ફૂટી, એણે કહ્યું :
‘દંડનાયક ! બીજા બધાની જેમ શિલ્પનું પણ એક શાસ્ત્ર છે, ખાલી ઈંટ-ચૂનો ભેગો કરી દેવો અને આરસ ચોડી દેવો, આટલી જ અપેક્ષા સ્થાપત્યો નથી રાખતા ! ઘણી ઘણી અપેક્ષાઓ, ચોકસાઈઓ અને ગણિતના સરવાળાઓ થયા પછી સ્થાપત્યની ભૂમિકા રચાય છે. એમાં ય વળી આ સ્થાપત્ય જ્યારે “જિનભગવાન’ને પ્રતિષ્ઠિત કરવા કાજે બનાવવાનું હોય છે, ત્યારે તો આ બધી બાબતોમાં ખૂબ ઊંડા ઊતરીને સૂક્ષ્મતાથી પર્યાવલોકન કરવું જરૂરી બની જાય છે. આમાં જો જરાક બેદરકાર રહી જવાય, તો એ બેદરકારી સ્થાપત્યના સર્જક માટે અશુભ નીવડે છે અને એ સર્જનની સમૃદ્ધિ શંકિત બની જાય છે. એથી જિનમંદિરોના સર્જનમાં તો શિલ્પશાસ્ત્રને નજર સામે રાખીને ઈંટેઈંટ મૂકવી જરૂરી બની જાય છે.’
દંડનાયક સહિત સૌ કોઈ એકાગ્રચિત્તે શિલ્પદેવને સાંભળી રહ્યા, વિમલને થયું કે અગ્રણીપદ શોભાવવા માટે જરૂરી તમામ ગુણોનો આનામાં સુભગ સંયોગ છે. શિલ્પદેવે આગળ ચલાવ્યું :
દંડનાયક ! મંદિરના પણ અનેકાનેક પ્રકારો છે, એમાં પણ દિશાની પસંદગીનું મહત્ત્વ ઘણું મોટું છે. જેમ ગોળ નાખીએ, એના પ્રમાણમાં દાળ ગળી થાય; એમ જિનમંદિર પણ સર્જકની શક્તિભક્તિ પ્રમાણે અનેક પ્રકારનાં બની શકે, દેવાલયો એકથી માંડીને ચાર દ્વાર સુધીના હોય છે. એના મંડપોની રચના પણ અનેક રીતે થઈ શકે છે. ચાર, આઠ, બાર, વીસ ઇત્યાદિ જગ્યાની વિશાળતા મુજબ મંડપો ઊભા કરી શકાય છે. મંડપે મંડપે ૧૬ સ્તંભ અને સ્તંભ સ્તંભે નૃત્યમુદ્રાવાળી રંભાની પાંચ પાંચ પૂતળીઓ કંડારાય, ચારે તરફ મંડપો
મંત્રીશ્વર વિમલ
૨૫૧