________________
વણિક તો સત્ય અને સચ્ચાઈની મૂર્તિ હતો. એણે કહ્યું : બોલવું જ પડે તો જૂઠું ન બોલવાની મારે બાધા છે, હું પરદેશથી કમાઈને મારા ગામે જઈ રહ્યો છું અને આ કેડે મેં એ બધી કમાણી બાંધી છે. બોલો, હવે તમે શું કરવા-કહેવા માંગો છો ?
અટ્ટહાસ્ય સાથે જવાબ મળ્યો : વાણિયો થઈનેય અમને પૂછે છે કે, હવે તમે શું કરવા માંગો છો ? અમે લૂંટારા છીએ. અમારો ધંધો લૂંટવાનો છે, આટલી વાત પરથી બધું સમજી જા, વાણિયા ! નહિ તો અહીં ધિંગાણું મચશે. તું એકલો છે. અમે ત્રણ છીએ, એથી પૈસો અને પ્રાણ : આ બંને ખોવાનો વખત ન આવે, એમ કરવામાં જ ખરી વાણિયાબુદ્ધિ છે !
ણિકથી હવે ન જ રહેવાયું, એણે પણ પડકારની ભાષામાં કહ્યું : તમે લૂંટારા છો, માટે જ તો મેં આવો પ્રશ્ન કર્યો છે ! બોલો, તમે હવે શું કરવા માંગો છો ?
‘શું કરવા શું ? તને લૂંટવા માંગીએ છીએ !' બધા જ લૂંટારા એકી સાથે બોલી ઊઠ્યા. એમના અટ્ટહાસ્યના પડઘાથી આખું જંગલ જાગી ઊઠ્યું.
એ વિણક પણ કંઈ કમ ન હતો કે, આ રીતે એ લૂંટાઈ જાય ! એણે કહ્યું : લૂંટાય એ બીજા, આ વાણિયો નહિ. તમે જો સીધી રીતે મદદ માંગતા હો, તો આ આખી પોટલી દાનમાં આપી દેવા તૈયાર છું, પણ જો તમે વાંકાઈથી કે બંદૂકની અણી બતાવીને મારી પાસેથી આ પોટલી પડાવી લેવા માંગતા હો, તો અંદરનો માલ તો શું, પરંતુ આ બાંધેલું કપડું પણ આપવાની મારી તૈયારી નથી !
લૂંટારાઓને થયું કે, આ વાણિયાની ચસકી ગઈ લાગે છે. એથી જ કમાણીનો ભેદ ખુલ્લો કરી દઈને આ રીતે આ બડાઈ હાંકી રહ્યો છે ! એમણે પોતાની ટેક દર્શાવતાં કહ્યું કે, દાનમાં લે, એ બીજા, વનના આ રાજાઓ કદી પણ કોઈની સામે હાથ લંબાવવામાં સમજ્યા
૧૪
આબુ તીર્થોદ્વારક