________________
જોડ જડવી મુશ્કેલ હતી. સંતતિ અને સુવર્ણનો લોભ જતો કરીને દંડનાયક વિમલે પોતાનું જે શ્રાવકત્વ શૃંગારિત કર્યું હતું, એને વખાણતાં શ્રીદેવીએ કહ્યું :
આર્યપુત્ર ! તીર્થોદ્ધાર આપણું ચિર-દષ્ટ એક મહાસ્વપ્ન છે. એથી આ સ્વપ્નની સિદ્ધિ કાજે આપે સંતતિ અને સુવર્ણનો સ્નેહ તો જતો કર્યો જ છે. પણ કાલ ઊઠીને કદાચ એવી કટોકટી પેદા થાય અને મારો પણ ભોગ આપવો જરૂરી જણાય, તો એ પળે આપ આવા બલિદાનને કબૂલીને પણ આ સ્વપ્નની સિદ્ધિને જ અગ્રિમતા આપજો, સંતતિ, સુવર્ણ અને સુંદરીનાં સગપણ તો ભવભવે મળતાં જ રહ્યાં છે, પણ આવા સગપણના સરવાળા રૂપે ભવ-ભ્રમણ સિવાય બીજું કશું જ આપણા હાથમાં આવ્યું નથી ! જ્યારે આવા સગપણના તાર જિનપ્રભુના મંદિર-મૂર્તિ-મંત્ર સાથે જોડાઈ જાય, તો આપણો બેડો પાર થઈ જાય. માટે આપે લીધેલા નિર્ણયને વધાવવા મારી પાસે શબ્દો નથી !
શ્રીદેવીના હૈયા સાથે હળીમળી ગયેલા આ ધર્મરંગનું સૌંદર્ય જોઈને દંડનાયક વિમલની આંખ આનંદ-નૃત્ય કરી રહી. એમણે કહ્યું : એક સુશ્રાવિકા તરીકે વ્યક્ત કરેલા આ વિચારોને વધાવવા શું બોલવું અને શું ન બોલવું? આ મારા માટે એક સમસ્યા છે. હવે આપણે આપણી સમગ્રતા આ તીર્થોદ્ધારના કાર્યમાં કેન્દ્રિત કરવાની છે. મારા મનોરથો તો એવા છે કે, આબુ ગિરિ પર એવા જિનમંદિરોનું સર્જન થવું જોઈએ કે જ્યાં આરસની સૃષ્ટિમાં વિના પાણીએ સરોવરો લહેરાતાં જણાય, વિના વનસ્પતિએ વનરાજીનો વૈભવ અનુભવાય, વિના કાગળ ઇતિહાસની ધર્મ-વિભૂતિઓનાં દર્શન મળે અને વિના શિલ્પશાસ્ત્રો જોયે સ્થાપત્ય-કલાનું નખશિખ કૌશલ્ય પ્રાપ્ત થાય !
શ્રીદેવીનો જવાબ હતો : આર્યપુત્ર ! એવા સ્થપતિઓને તેડાવો કે, જેઓ પાષાણમાં પ્રાણ પૂરી જાણતા હોય ! સંપત્તિની આપણે ત્યાં કમીના નથી, પછી આ નિર્માણમાં નૂતનતાને કંડારવામાં શા માટે કમીના રાખવી જોઈએ ? કારણ કે નાણું તો વારંવાર મળે છે. જ્યારે
૨૪૨ આબુ તીર્થોદ્ધારક