________________
'C)
આરસની દેવનગરીના નિર્માણ કાજે
(२४)
વારસની વેદી પર આરસની આરાધના કરવાના દંડનાયક શ્રી વિમલે લીધેલા એ ભક્તોચિત ભીષ્મ નિર્ણયને, ચંદ્રાવતીની પ્રજામાં સૌથી વધુ ઉમળકાભેર હૈયે વધાવનારી વ્યક્તિ વિમલના અનુમાન મુજબ શ્રીદેવી જ હતી ! પતિની પ્રાપ્તિ થઈ ગયા પછી નારીના મનમાં જો કોઈ મહત્ત્વાંકાંક્ષા જોર કરતી હોય, તો તે ‘મા' બનવાની ! પતિ પછી પુત્રની પ્રાપ્તિ, નારીજીવનની એક અદમ્ય આકાંક્ષા ગણાય. આ દૃષ્ટિએ આબુ-તીર્થોદ્ધારના પાયામાં શ્રીદેવીએ પોતાની આકાંક્ષાની આહિત જે ભગવદ્-ભક્તિ વ્યક્ત કરી હતી, એની