________________
ઉત્તીર્ણ થઈ શક્યા હતા, ત્યાર પછી આબુની જૈન તીર્થ તરીકેની ભૂતકાલીન પ્રસિદ્ધિની સચ્ચાઈની પ્રતીતિનું પ્રત્યક્ષ દર્શન કરાવવા કાજે માતા અંબિકાદેવીનું કૃપાવતરણ કરાવવામાં પોતે સફળ થયા હતા, તેમજ ધૂળથી સભર ધરતીને સોનાથી સવાઈ માનીને એની ખરીદી ટાણે સોનાને ધૂળથી પણ તુચ્છ ગણવાની ઉદારતા દર્શાવવાના ખરા અવસરે પોતે થોભ વિનાના લોભ પર લગામ લગાવવામાં જરાય નિષ્ફળ નહોતા નીવડ્યા.
દંડનાયક વિમલે ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે, પોતે લીધેલા આ બધા નિર્ણયો પર પ્રશંસાનાં પુષ્પો વેરનારી વ્યક્તિઓમાં શ્રીદેવીનું સ્થાન તો પહેલું જ હશે !
૨૪૪
આબુ તીર્થોદ્ધારક