________________
ગોળ સોનામહોરો પાથરીને આ ભૂમિને ગ્રહણ કરું, તો વચ્ચે વચ્ચે સુવર્ણમુદ્રાથી ઢંકાયા વિનાની જે ભૂમિ મને મળે, એ અન્યાયોપાર્જિત ગણાય, કારણ કે તમારી શરત મુજબ જેટલો વિસ્તાર સોનામહોરોથી ઢાંકી શકું, એટલાનો જ કબજો લેવાનો હું હક્કદાર ગણાઉં ! માટે અહીં ભઠ્ઠી પેટાવીને હું નવી ચોરસ સોનામહોરો ગળાવીને આ ભૂમિ ખરીદીશ. આમ, કરતાં જરા વિલંબ થવાની શક્યતા છે. પણ એને આપ સૌ ભૂદેવો ! ક્ષમ્ય ગણશો. એવી મારી નમ્ર વિનંતી છે.
બ્રાહ્મણોના દિલમાં ધગમગતો દ્વેષનો દાનાવલ, આ શરત અને દંડનાયક વિમલનો નીતિમત્તાભર્યો આ પ્રસ્તાવ સાંભળીને પ્રેમના પાણીમાં પલટાઈ ગયો. સૌએ દંડનાયક વિમલનો જયજયકાર ગજવીને આ સોદા પર હૈયાનો હર્ષ વ્યક્ત કર્યો, દંડનાયક વિમલે સૌને કહ્યું : ભૂદેવો ! આ બધો પ્રભાવ તો જૈનશાસનનો જ છે, માટે તમારે જો સાચે જ જયજયકાર જગવવો હોય, તો તમે જૈનશાસનનો જયજયકાર જગવો, મારો નહિ.
એકઠા થયેલા એ બ્રાહ્મણોમાંથી ઘણાખરાની જિંદગી આ ભૂમિ પર જ વીતવા આવી હતી, પણ હજી સુધી એમણે આવો વીર, આવો ઉદાર, આવો નીતિનિષ્ઠ અને આવો ભગવદ્ભક્ત સ્વપ્નમાં પણ જોયો નહોતો. એથી એઓ વિચારી રહ્યા કે, ખરેખર હવે જ આબુનો ખરો ઉદયકાળ શરૂ થશે ! સૌ છૂટા પડ્યા, ત્યારે દરેકના મુખ પર એક અદ્ભુતતાના દર્શનનો આનંદ વરતાઈ રહ્યો હતો.
દંડનાયક વિમલના આનંદને આજે કોઈ અવિધ કે ઓવારો મર્યાદિત રાખવામાં સફળ થાય, એ શક્ય નહોતું. કેમ કે તીર્થોદ્વારની ભૂમિકાનું એક મોટું કાર્ય સફળતાથી પાર પડ્યું હતું અને આબુ ઉપરની ત્રણ-ચાર દિવસની સ્થિરતા ખૂબ જ સંગીન સફળતા આણવામાં નિમિત્ત બની ચૂકી હતી.
દંડનાયક વિમલને એ વાતનો પૂરેપૂરો આનંદ હતો કે, વારસની વેદી પર આરસની આરાધના કરવાની અગ્નિ પરીક્ષામાં પોતે હેમખેમ મંત્રીશ્વર વિમલ
૨૪૩