________________
આવું ટાણું કોઈકવાર જ ઉપલબ્ધ થતું હોય છે, આપણા વડવાઓએ ગુર્જર રાષ્ટ્રમાં સંસ્કારનું ઘડતર કરવાનો ધર્મ અદા કર્યો. આપણી સમક્ષ આબુનાં આ શિખરો પર, આરસની નગરીનું નિર્માણ કરીને, એ નગરીને ધર્મકળા, ઇતિહાસ, શિલ્પકળા અને ભક્તિની ભાતીગળ ભરતીથી ભરચક, સમર્પણના સાગરથી સમૃદ્ધ અને પ્રસિદ્ધ બનાવવાનું સ્વપરને કલ્યાણકારી એક કર્તવ્ય બજાવવાની પુણ્ય-પળ ખડી થઈ છે, તો હવે આ પળને પૂરેપૂરી વધાવી લેવામાં શા માટે ઓછાશ રાખવી જોઈએ !
દંડનાયક વિમલની ભાવનાનું જ આ એક આછું પ્રતિબિંબ હતું. એથી એમણે કહ્યું : આ નિર્માણમાં શિલ્પના શાસ્ત્રોને બોલતાં કરવાના મારા મનોરથ છે. કળા, કારીગરી અને કોતરણી તો ગૌણ ચીજ છે. આ નિર્માણમાં પ્રધાનતા તો પ્રભુ-પ્રતિમાજીઓની મુખમુદ્રા પર તરવરતી વિરાગ-કલાનું જ રહેશે. પણ કળા-કારીગરીના રસિયાજીવોનેય અહીંનું જ આકર્ષણ જાગે અને આ આકર્ષણથી ખેંચાઈને આવેલા કળાના એ રસિયા, જેના ચરણે આવી કળાસૃષ્ટિ સમર્પિત બનશે, એ પ્રભુજીનાં દર્શન પામીને રોમાંચ અનુભવે, એવા સર્જનનો મારો નિરાધાર છે, સુવર્ણ ભલે લોઢાના ભાવે તોલીને આપવું પડે, પણ આમ કરવાથી એ આરસ જો હીરાની મૂલ્યવત્તા પામતો હોય, તો આથી વધીને સુવર્ણનો સારામાં સારો સદુપયોગ બીજો વળી કયો હોઈ શકે ? સરાગીની | સંસારીની સંપત્તિ જમીનમાં દટાયા પછીય ભયમુક્ત નથી હોતી, જ્યારે વીતરાગના રાગીની સંપત્તિ પર્વતોના શિખરે ખુલ્લી વેરાયેલી હોવા છતાં દર્શકના દિલમાં દાનવતા નહિ, દાનની ભાવના જગવવામાં કારણ બની જતી હોય છે, આ વાતની આંશિક પ્રતીતિ પણ આપણું સર્જન કરાવી જશે; તો આપણે ધન્ય બની જઈશું.
શક્તિ અને ભક્તિના સ્વામી દંડનાયક શ્રી વિમલ અને શ્રીદેવી કલાકોના કલાકો સુધી, કો” નવજાત શિશુની અદાથી પોતાના એ ભાવિ સર્જનની આ વર્તમાન કલ્પનાને આ રીતે પ્રેમથી પંપાળી રહ્યાં, સ્નેહથી સિંચી રહ્યાં અને વાત્સલ્યથી વધાવી રહ્યાં ! ટૂંકા કાળમાં હવે મંત્રીશ્વર વિમલ ર૦ ૨૪૭