________________
સૃષ્ટિને પણ નિહાળ્યા કરતા હતા, એથી એમનું અંતર આનંદથી ઊભરાઈ ઊઠતું હતું, આ ચાતુર્માસમાં દંડનાયકે એવું પ્રેરણા-પાન કર્યું કે, જેની અસર આજીવન ટકી રહે. અને આ અસરની જ ફળશ્રુતિ રૂપે એક શુભ ઘડી-પળે દંડનાયકે તીર્થોદ્વાર કાજેની પ્રવૃત્તિનો મંગલારંભ કર્યો.
પગલે પગલે વિકટ ચઢાણ ચઢ્યા વિના તીર્થોદ્ધારની પ્રવૃત્તિમાં આગળ વધી શકાય એમ નહોતું, સૌ પ્રથમ તો આબુ ઉપર જગ્યા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઉકેલવો જરૂરી હતો. એક હિન્દુ તીર્થ તરીકે અત્યંત પ્રખ્યાત આબુ ઉપર ત્યારે બ્રાહ્મણોનું જોર હતું. એથી એમને પ્રસન્ન બનાવીને જગા મેળવવા દંડનાયકે પ્રયાસ આરંભ્યો. મોં માંગ્યાં મૂલ્ય ચૂકવીને એઓ આબુ પર જગા મેળવવા કૃતનિશ્ચયી હતા. એમણે બ્રાહ્મણ પૂજારીઓ સમક્ષ વાત મૂકી : મારે અહીં જૈનમંદિરોનું નિર્માણ કરવું છે અને એ માટે યોગ્ય જગા જોઈએ છે. આમેય આબુ તીર્થ તરીકે પ્રસિદ્ધ જ છે, આ પ્રસિદ્ધિને વધુ વ્યાપક બનાવવાના મારા મનોરથ છે, એટલે તમારા સાથ-સહકાર માટે હું પૂરેપૂરો આશાન્વિત છું.
બ્રાહ્મણોનું એ જૂથ અંદરખાને તો એમ જ ઇચ્છતું હતું કે, અહીં જૈનમંદિરો ન જ ઊભાં થવાં જોઈએ ! કારણ કે એમને એવો ભય હતો કે, આબુ પર જૈન-મંદિરો ઊભાં થાય, તો હિન્દુ તીર્થ તરીકેની આબુની અદ્વૈત આબરૂમાં ઓટ આવ્યા વિના ન રહે. આમ, બ્રાહ્મણો જૈન મંદિરોના સર્જનથી નારાજ હતા. છતાં દંડનાયક વિમલના અને એમની સત્તાના પ્રભાવ-સ્વભાવથી એઓ પ્રભાવિત હતા, એથી સીધેસીધી ના તો કહી જ શકાય એમ નહોતું. એથી નવી જ વાતને આગળ કરતાં એમણે કહ્યું :
‘દંડનાયક વિમલ ! આબુની તીર્થ તરીકેની પ્રસિદ્ધિમાં વધારો થાય, એમાં તો કોણ નારાજ હોય ! પરંતુ અહીં પૂર્વકાળમાં પણ કોઈ
મંત્રીશ્વર વિમલ
૨૩૫