________________
ઊઠ્યો. કેટલાય પ્લેચ્છ રાજાઓ જિતાઈ ગયા. એથી ચંદ્રાવતી નગરી વધુ સમૃદ્ધ અને વધુ સુરક્ષિત બની. અધૂરામાં પૂરું પ્રસન્ન થયેલા ભીમદેવે વિમલ પર પહેરામણી પાઠવવા સાથે પાટણના પુનરાગમન કાજે આમંત્રણ પાઠવ્યું તેમજ આ આમંત્રણના અપાયેલા જવાબના પ્રતિ-જવાબ રૂપે આબુના તીર્થોદ્ધાર કાજે ભીમદેવ તેમજ મંત્રી નેઢ તરફથી ય અનુજ્ઞા-આશીર્વાદ પ્રાપ્ત થયા અને એટલામાં વળી ભરતામાં ભરતીની જેમ તીર્થોદ્ધારના સ્વપ્નદર્શક પૂ. આચાર્યદેવશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજના ચંદ્રાવતીમાં થયેલા શુભાગમનની ખુશાલી મળી. આમ, દંડનાયક વિમલનું ભાગ્ય ભાગ્યું નહોતું, પણ સૌભાગ્ય જાગ્યું હતું. આ વાતની પ્રતીતિ કરાવતું વાતાવરણ વધુ ને વધુ જમાવટ સાધવા માંડ્યું.
દંડનાયક વિમલ વર્ષોથી તીર્થોદ્ધારનું પુણ્ય ઉપાર્જવા આતુર તો હતા જ. પણ ચંદ્રાવતીમાં આવ્યા બાદ પણ જરૂરી વ્યવસ્થા અને સુરક્ષાની દૃષ્ટિએ કેટલીક વિજયયાત્રાઓ કર્યા વિના છૂટકો જ નહોતો. એથી આમાં ઠીક ઠીક કાળ પસાર થઈ ગયો, છતાં એ આતુરતા અદશ્ય નહોતી બની ગઈ, એમાં વળી શ્રી ધર્મઘોષસૂરિજીનું આગમન થયું, એથી દંડનાયકે મનોમન એવો હર્ષ અનુભવ્યો કે, ચિરદષ્ટ સ્વપ્નને આબુનાં શિખરો પર અવતરણ કરાવવા માટે અગત્યનું એક ઉપદેશબળ પ્રાપ્ત થતા હવે કોઈ અવરોધ કે અંતરાય મારી આ આતુરતાના વેગને ખાળી નહિ શકે !
દંડનાયક વિમલે પોતાની જીવન-કહાણીનાં પાનાં ખુલ્લાં કરી દઈને શ્રી ધર્મઘોષસૂરિજીને એક દિ' વિનંતી કરી કે, ભગવન ! આ ચાતુર્માસનો લાભ તો ચંદ્રાવતીને જ આપો ! બંને દૃષ્ટિએ આ વિનંતીનો સ્વીકાર લાભનું કારણ છે, એક તો, ચંદ્રાવતીની પ્રજાને ધર્મનો મર્મ સમજવા મળશે, બીજું રાજકાજમાં અટકાયેલા મારા જેવા પ્રમાદીની ઊંઘ ઊડશે અને એથી તીર્થોદ્ધારનું જે સ્વપ્ન સેવી રહ્યો છું, એ જલદી સાકાર થશે ! મંત્રીશ્વર વિમલ ૦ ૨૩૩