________________
વારસની વેદી પર આરસની આરાધના
જી
I000
I
કોઈ નિર્માણ જ્યારે અવશ્યભાવિ હોય છે, ત્યારે કાર્ય-કારણનાં જોડાણ એવાં એકાએક થઈ જતાં હોય છે કે, પૂર્વ-પશ્ચિમ જેવી વિરુદ્ધ દિશામાં રહેલા એ કાર્ય-કારણનાં જોડાણ જોઈને એક વાર તો આંખમાં આશ્ચર્ય સાથે આનંદના ભાવ ઊભરાઈ આવે !
દંડનાયક વિમલના ભાગ્યલેખમાં આબુના તીર્થોદ્ધારનું નિર્માણ અવશ્યભાવિ હતું. એથી જેની કોઈને કલ્પના પણ ન થઈ શકે, એવા સુખદ અને શુભ-સંયોગો એકાએક રચાઈ ગયા ! ચન્દ્રાવતી પર ચડાઈ કર્યા વિના જ ત્યાં ગુર્જર રાષ્ટ્રનો ધ્વજ ફરકી