SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ આપ જેને ગુનો ગણો છો, એને તો હું ‘તીર્થ-સર્જન' કાજેની અનુકૂળ તક સમજુ છું. એથી માફી બક્ષવાના સવાલને તો કોઈ અવકાશ જ રહેતો નથી ! આ સંદેશાએ પાટણના પ્રધાનોની આંખે આંસુનાં તોરણો બાંધ્યાં. થોડા દિવસ રોકાઈને એ પ્રધાનોએ ચંદ્રાવતીનું નિરીક્ષણ કર્યું. ત્યાં વિકાસ પામી ચૂકેલી સંસ્કાર અને સંપત્તિની સમૃદ્ધિનાં દર્શને એમની આંખ ધન્ય બની ગઈ. ચંદ્રાવતીના ચમકારને હૈયામાં સંગૃહીત કરીને એઓ પાટણ પહોંચ્યા. થોડા જ વખત પછી દંડનાયકના ચિરદષ્ટ સ્વપ્નની સાકારતા અંગે આશીર્વાદ અને અનુજ્ઞા દર્શાવતો રાજવી ભીમદેવ અને મંત્રીનેઢનો સંદેશ ચંદ્રાવતીમાં દંડનાયક વિમલને મળ્યો ને યોગાનુયોગ એવો તો અદ્ભુત સરજાયો કે, વર્ષો પૂર્વે આબુના તીર્થોદ્ધારનું ઉપદેશામૃત પાનારા શ્રી ધર્મઘોષસૂરિજીના આગમનની વધામણી પણ દંડનાયકને આ જ સમયે સાંભળવા મળી ! દંડનાયક શ્રી વિમલ આ બન્ને સમાચારોની હૈયાના લાખ લાખ દીવડાઓથી આરતી ઉતારી રહ્યા, એમને અત્યારે તો હવે પૂરેપૂરી ખાતરી થઈ રહી હતી કે, ભાગ્ય ભાગ્યું એથી પાટણનો પરિત્યાગ નહોતો કરવો પડ્યો, આ તો જાગેલા સૌભાગ્યની શુભ સૂચના હતી. મંત્રીશ્વર વિમલ 29 ૨૩૧
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy