________________
દંડનાયક વિમલની વીરતાથી પ્રભાવિત બનીને આસપાસના અનેક રાજવીઓ ચંદ્રાવતીના ચાકર બનીને ધન્ય બની ગયા અને એક અજેય નગરી તરીકે ચંદ્રાવતીનાં નામ-ઠામ બધે ગાજી રહ્યાં. એમાંય ચંદ્રાવતીને જેમના તરફથી અવારનવાર ભય રહ્યા કરતો હતો, એવા અનેક મ્લેચ્છ-રાજ્યો પર વિજય મેળવીને દંડનાયક વિમલે ગુર્જરેશ્વર ભીમદેવની કીર્તિમાં વધારો કર્યો, એથી ખૂબ જ પ્રભાવિત થઈને એક દહાડો ભીમદેવે પોતાના પ્રધાનો સાથે ઉત્તમ જાતિના છત્ર-ચામર મોકલાવીને એવો સંદેશ પાઠવ્યો કે,
‘દંડનાયક વિમલ ! રાજહંસો તો ઊડીને જ્યાં જાય છે, ત્યાં એમને માટે માનસરોવરો ઊભાં થઈ જ જતાં હોય છે. ખોટ તો એ સરોવરોને જ ખમવી પડતી હોય છે, જેની પાળ પરથી એ હંસલાઓ ઊડી ગયા હોય. આ ઉક્તિ તમે ખરેખર સાર્થક કરી બતાવી છે. માટે આટલી આ પહેરામણી જરૂર સ્વીકારજો અને પાટણમાં પુનરાગમન કરીને અમારા ગુનાની માફી બક્ષજો !
દંડનાયક વિમલે પોતાના સ્વામી ભીમદેવની આ પહેરામણીને સહર્ષ અને સરોમાંચ સ્વીકારીને જવાબમાં લખી જણાવ્યું કે, મહારાજ ભીમદેવ ! ચંદ્રાવતીમાં આવ્યા બાદ પણ ગુર્જર રાષ્ટ્રની હું થોડીઘણી પણ જે કંઈ સેવા કરી શક્યો છું, એ આપના આશીર્વાદનો જ પ્રભાવ છે. રાજસેવા તો ઘણી કરી, હવે એવી ભાવના છે કે, થોડીઘણી ધર્મસેવા કરીને મળેલી આ સંપત્તિનો સદુપયોગ કરી લઉં અને ગુજરાતની ગૌરવ-ગાથા ચિરકાળ સુધી આબુનાં ગુરુશિખરો પરથી ગવાતી રહે, તેમજ જૈનશાસનની જયપતાકા દિગદિગંતમાં લહેરાતી રહે, એવું કોઈક સર્જનકાર્ય કરવા કટિબદ્ધ બનું ! આબુના તીર્થોદ્ધારનું મારું જે સ્વપ્ન ચિરદષ્ટ છે, એની સફળતા કાજે આપ અને વડીલ બંધુ મંત્રીનેઢ જરૂર આશીર્વાદ-અનુજ્ઞા પાઠવીને મને ઉપકૃત કરશો, એવો વિશ્વાસ છે. પાટણમાં હાલ નહિ આવવાનું આ એક જ મુખ્ય કારણ છે. આને આપ ગુના સાથે નહિ જ જોડો, એવો વિશ્વાસ છે, કારણ કે
૨૩૦ ૨૫ આબુ તીર્થોદ્ધારક