SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ એકધારું પરમાર વંશનું રાજ્ય તપી રહ્યું ને ચંદ્રાવતી નગરી જાહોજલાલીની ઠીક ઠીક ઊંચી કક્ષાએ પહોંચી. પરમારવંશીય રાજા ધંધૂકના હાથમાં ચંદ્રાવતીની સત્તા હતી, ત્યારે તો ત્યાં જૈનજગતની જાહોજલાલી પણ ચરમસીમાએ પહોંચી હતી. અઢારસો ગામ ચંદ્રાવતીની આણમાં હતાં. એ સમયે ૪૪૪ જિનાલયોથી મંડિત આ નગરીમાં ૩૬૦ તો કરોડપતિ જૈનો વસતા હતા. ચંદ્રાવતી પર રાજ કરતો રાજા ધંધૂક એક વખત ગુર્જરેશ્વર ભીમદેવની આજ્ઞામાં હતો, પણ ભીમદેવના કેટલાક શત્રુરાજ્યોની સહાય મળતાં, એણે સ્વતંત્રતા સ્વીકારીને ગુર્જરેશ્વરની આણને ફગાવી દીધી. અને એથી જ ભીમદેવ જ્યારે અવંતિની સામે લડાઈ લઈ ગયા, ત્યારે ધંધૂકે ભોજનો પક્ષ લઈને જાણે ભીમદેવને ઉશ્કેરવાનું જ એક અવિચારી પગલું ભર્યું હતું. ત્યારે ભીમદેવે જે પ્રતિજ્ઞા સ્વીકારી હતી, એથી ધંધૂકના મનમાં ભય તો પેસી જ ગયો હતો કે, ગમે ત્યારે હવે મારે ગુર્જરેશ્વર સામે લડી લેવું પડશે ! પણ અવંતિના એ યુદ્ધમાં એણે જે વીરતા નિહાળી હતી, એથી ગુજરાત સામેના યુદ્ધમાં ઊભા રહેવાની હિંમત તો એ ખરી રીતે ખોઈ જ બેઠો હતો. આમ, ચંદ્રાવતી બધી રીતે સમૃદ્ધ હોવા છતાં, એની પર પણ સત્તા પરિવર્તનનાં વાદળાં ગાજી રહ્યાં હતાં. એમાં એક દહાડો રાજા ધંધૂક પરમારની સત્તાની સામે એક પ્રચંડ પડકારના રૂપમાં દંડનાયક વિમલની સેના ચંદ્રાવતીની સરહદમાં પેઠી, ત્યારે ચંદ્રાવતીનો વિસ્તાર ખૂબ જ વિશાળ હતો. દંડનાયક વિમલને આવતા સાંભળીને પરમાર ધંધૂક જીવ બચાવવા પારોઠનાં પગલાં ભરીને નાસી ગયો. લોહીનું એક ટીપું પણ ન પડ્યું. અને એ થોડા જ દિવસોમાં સાહજિક રીતે ચંદ્રાવતીના આકાશે સત્તા પરિવર્તનનો સૂર્ય ઊગ્યો. ચંદ્રાવતી પર ગુર્જરેશ્વર ભીમદેવનું શાસન જાહેર કરીને એમના અદના એક સેવક તરીકે દંડનાયક વિમલે ચંદ્રાવતીનો રાજકારભાર સંભાળી લીધો. થોડા જ વખતમાં એ લોકપ્રિય થઈ પડ્યા. ચંદ્રાવતીના | ૨૨૮ “ આબુ તીર્થોદ્ધારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy