________________
ભાગ્ય અને સૌભાગ્યથી શુરા-પૂરા માણસો ગમે તેવા વિકટ વાતાવરણ વચ્ચે મુકાય, તો પણ એમનો વાળ વાંકો નથી થઈ શકતો. એમને સ્મશાન-ઘાટ વચ્ચે વસવાની ફરજ પાડવામાં આવે, તોય ત્યાં પ્રેત એમની પ્રીતિ મેળવવા મથે, ભૂત એમની ભૂતિ-વિભૂતિનું કારણ બને અને રાક્ષસો એમનું રક્ષાકાર્ય અદા કરે ! આવો ચમત્કાર સરજાઈ જતો હોય છે.
દંડનાયક વિમલના જીવન-આરે ભાગ્ય અને સૌભાગ્યની મહાનદીઓ સંગમ સાધતી રહી હતી, એથી પાટણનો વસવાટ એમના માટે આનંદદાયક બને, એમાં તો કંઈ જ આશ્ચર્ય નહોતું. પણ પાટણને છોડી જવાની પળે પણ, જે અતર્કિત સંયોગો એમના માટે સર્જાયા, એ તો જરૂર મહાઆશ્ચર્ય પેદા કરે એવા જ હતા ! જ્યારે પાટણના પાદરે પહોંચ્યા પછી કઈ દિશામાં પગલું ઉઠાવવું, એય પ્રશ્ન હતો, ત્યારે વિદાયની પળે મહારાજા ભીમદેવે વિમલ સમક્ષ ચંદ્રાવતી પર ચડાઈ લઈ જવાની માગણી સામેથી મૂકી હતી. આ એમના ભાગ્ય-સૌભાગ્યની જ એક પ્રબળતા ન ગણી શકાય શું? એથી વિમલનો એ પાટણ પરિત્યાગ થોડા જ વખતમાં “યુદ્ધયાત્રા'ના સન્માનનીય નામ સાથે ઓળખાવા માંડ્યો અને એ યાત્રાને પગલે પગલે આબુની તળેટીમાં વસેલી મહાનગરી ચંદ્રાવતી નજીક ને નજીક આવવા માંડી.
ચંદ્રાવતી ખરેખર મહાનગરીના બિરુદને શોભાવી શકે, એવી અનેકાનેક વિશેષતાઓનું જ એક નામ હતું. આબુની તળેટીમાં વસેલી આ નગરી કોઈ કાળે ચડાવલી, ચડ્ડાવલી, ચડાઉલી આદિ નામોથી ઓળખાતી હતી વિ. સં. ૮૬૦ ની આસપાસ આ નગરીનું નિર્માણ થવા પામ્યું હતું. આ અરસામાં માલખંડના રાજા ગોવિંદે ગુજરાત પર વિજય મેળવીને ત્યાંની રાજધાની પોતાના ભાઈ ઈન્દ્રને સોંપી હતી. સંઘર્ષના આ સમયમાં પરમાર વંશ ઉદયમાં આવ્યો. આ વંશના પ્રતાપી પુરુષોએ ચંદ્રાવતી નગરી વસાવી. એમાં પાંચ પાંચ સદી સુધી મંત્રીશ્વર વિમલ ર૦ ૨૨૭