________________
બનેલા આ બનાવ અંગે સમગ્ર પાટણમાં ખળભળાટ મચી ગયો. નગરશેઠ શ્રીદત્ત, સેનાપતિ સંગ્રામસિંહ આદિ કેટ-કેટલા આગેવાનો દંડનાયક વિમલને મળવા આવી ગયા, પણ એઓ તો ગૌરવભેર પાટણનો પરિત્યાગ કરવાના નિર્ણયમાં મક્કમ હતા. એમનું કહેવું હતું કે, તમારી દૃષ્ટિએ કદાચ મારું ભાગ્ય ભાંગ્યું હશે, પણ મારી દૃષ્ટિએ તો મારું સૌભાગ્ય જાગ્યું છે. જેથી હવે મારું ચિરષ્ટ એક સ્વપ્ન સાકાર થશે.
એક બાજુ વિમલનો આ નક્કર નિર્ણય હતો, તો બીજી બાજુ દામોદર મહેતાની વાતોમાં આવી જઈને રાજા ભીમદેવ જે ભ્રાંતિને પકડી બેઠા હતા, એને પકડી રાખવાની જીદ છોડે એમ ન હતા. એથી પાટણની પ્રજા નિસાસો નાખતાં બોલી રહી કે, શું આમ નીચે પટકાવા માટે જ પાટણે આટલી બધી પ્રગતિ-સિદ્ધિ હાંસલ કરી હશે?
ઘણી ઘણી વાટાઘાટો થઈ. પાટણની પ્રજાનો વિમલે સંપાદન કરેલો પ્રેમ પ્રમાણાતીત હોવાની પ્રતીતિ થતાં જ ભીમદેવે મનોમન એક કંઈક વિચિત્ર જણાય એવો નિર્ણય લઈ લીધો. દામોદર મહેતા પણ આ બનાવે જે વળાંક લીધા હતા, એથી આશ્ચર્યચકિત હતા. આ બનાવને ત્રણ દિવસ વીતી ગયા, ચોથા દિવસની પ્રભાતે દંડનાયક વિમલના મહેલનું આંગણું માનવ-મહેરામણથી ઊભરાઈ ઊઠ્યું. શુભ ઘડી-પળે હાથીના હોદ્દે ચડીને દંડનાયકે પાટણ-પરિત્યાગનું પ્રસ્થાન આદર્યું. પાટણના પ્રમુખ રાજમાર્ગો પર થઈને એ પ્રસ્થાન-યાત્રા રાજભવન તરફ આગળ વધી રહી.
દામોદર મહેતાના માણસો મનોમન ગભરાઈ ઊઠ્યા કે, આ વિરાટ માનવ-મહેરામણ ભીમદેવને ઉઠાડી મૂકીને, સિંહાસન પર વિમલને તો બેસાડી નહિ દે ને ? રાજભવનનું દ્વાર આવતાં જ દંડનાયક વિમલ નીચે ઊતરી ગયા અને અંદર જઈને સીધા જ ભીમદેવના ચરણ ઝાલીને બોલ્યા કે, મહારાજ ! પાટણ સાથેનાં અન્નજળ પૂરાં થયાં, બોલ્યુંચાલ્યું માફ કરજો, ગુર્જર રાષ્ટ્રના સંસ્કારોત્થાનની યાત્રામાં જોડાવા
મંત્રીશ્વર વિમલ
૨૦ ૨૨૩