________________
સાફ સાફ વાત રજૂ કરીને ઘરે આવ્યા બાદ એમણે આ બનાવની ગંભીરતાને હળવી કરવા પરિવારને કહ્યું કે, આબુનો તીર્થોદ્ધાર આપણને ક્યારનીય હાકલ દઈ રહ્યો હતો. પણ હાકલને ઝીલી લઈને, આબુ ભણી પ્રયાણ આદરવાની પળ હવે પાકી ગઈ લાગે છે. આની વધામણી આપતાં મારા હૈયાનો હર્ષ સમાતો નથી !
દંડનાયક વિમલની સમક્ષ ભાતભાતના પ્રશ્નો ગુંજી ઊઠ્યા. એમણે આજના બનાવને ખૂબ જ હળવા શબ્દોમાં રજૂ કરીને અંતે કહ્યું : વડીલ બંધુ નેઢ પર રાજાની હજી અમીનજર છે. એથી આ મહેલમાં એઓ ભલે મજા કરે, આપણે સૌ આબુની ગોદમાં મજા માણીશું અને આબુનાં શિખરો પર ધર્મની ધજા ચડાવવાની સંકલ્પ-સૃષ્ટિને સત્કારતા તીર્થોદ્ધારના પુણ્યની કમાણી કરવા મંડી પડીશું. વિરમતિ સાથે વિમલે મંત્રણા કરી ને બનતી ઝડપે પાટણનો ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો, પાટણ છોડીને કઈ દિશામાં પગલું ઉઠાવવું, એનો વિચાર ભાવિ પર છોડીને સૌ નિશ્ચિત બન્યા.
દંડનાયક શ્રી વિમલને તો ચોપડા તપાસવાના મિથ્યા-પ્રયાસમાં સમય ગુમાવવાની કોઈ આવશ્યકતા જ નહોતી ! એના અંતરમાં દઢ નિર્ણય જાગી ચૂક્યો હતો કે, આ બધી તો મને પાટણ છોડાવવા માટેની એક માયાજાળ છે ! એ જ સાંજે ભીમદેવ તરફથી આવેલા દૂતે વિમલના હાથમાં એક પત્ર મૂક્યો. એમાં લેણાની વિગતવાર નોંધ આપતાં લખવામાં આવ્યું હતું કે
“દંડનાયક વિમલ ! તમારા દાદા લહિરના સમયમાં એમણે ઘોડા ખરીદેલા. એનું દાણ ચૂકવવાનું બાકી રહી ગયું હોઈ, દાણની એ રકમ આજ સુધીના વ્યાજ સાથે છપ્પન ક્રોડ ટાંક થાય છે. માટે કાં તો આ રકમ ચૂકવવી, કાં તો ખાતું પાડી આપવું !” - દંડનાયકે એ રાજદૂતને કહ્યું : મહારાજ ભીમદેવને સવિનય જણાવજે કે, આ પત્રનો જવાબ આપવા વિમલ પોતે એક બે દિવસમાં આવી જશે. દૂત રવાના થઈ ગયો. થોડા કલાકોમાં તો રાજસભામાં
૨૨૨ ૬ આબુ તીર્થોદ્ધારક