________________
ભાગ્ય ભાગ્યું કે સૌભાગ્ય જાગ્યું !
.
IFESS
ધીર શબ્દમાં પણ પરાક્રમની પ્રતિભાનું એવું પ્રતિનિધિત્વ ઝિલાયું છે કે, એનું માથું ઉડાવી દેવામાં આવે, તોય એ શબ્દ પોતાનું વીરત્વ છોડતો નથી. માટે જ સંસ્કૃતનું એક સુભાષિત એનાં ગાન ગાય છે કે, “ધીરસ્યાપિ શિરચ્છેદે વીરત્વે નૈવ મુંચતિ” ધીરા શબ્દનો શિરચ્છેદ થાય, તોય એ વીરપણું તો છોડતો જ નથી ! જો માત્ર “ધીર’ શબ્દને આવું સામર્થ્ય વર્યું હોય, તો પછી ધીરતાની સાક્ષાત્ મૂર્તિ સમી વ્યક્તિનું સામર્થ્ય તો કોણ વર્ણવી શકે ?
દંડનાયક વિમલ ધીરતા અને વીરતાની જ જાણે સદેહાવસ્થા હતી. એથી ભીમદેવ સમક્ષ અંતરની