________________
આ બનાવ આખા પાટણમાં ચોરે-ચોરે, ચર્ચાવા માંડ્યા. કોઈની કાનભંભેરણીના ભોગ બનેલા ભીમદેવની ઉતાવળી વૃત્તિ અને આવા વિકટ -સંયોગોમાંય ધીરતા, વીરતા અને વિવેકને વળગી રહેનારા દંડનાયક વિમલની શાંત-વૃત્તિ, આ બંનેને સૌ પોતપોતાની દૃષ્ટિ મુજબ મૂલવી રહ્યા, પણ એ બધાં મૂલ્યાંકનોનો સરવાળો જાણે વિમલને વખાણવામાં અને ભીમદેવને ભાંડવામાં જ સમાપ્ત થતો હતો.
સમગ્ર પાટણમાં જેઓ અનુભવી, શાણા અને રાજકીય રંગોના રહસ્ય જ્ઞાતા હતા, એ બધાનો આ ઘટના અંગેનો અભિપ્રાય એ જ હતો કે, રાજા મિત્રં કૈન દૃષ્ટ શ્રુતં વા ! રાજાની મિત્રતા વળી ચિરંજીવ બની હોય, એવું કોઈએ જોયું-સાંભળ્યું છે ખરું ?
૨૨૦
આબુ તીર્થોદ્ધારક