________________
હોત, તો ‘લેણદાર’ તરીકે આમ અપમાનિત થવાનો આવો વખત તો ન આવત ! કાળજામાં ઊભો ચીરો પાડે, એવો આ ઘા હતો. છતાં વિમલે ધીર બનીને પૂછ્યું :
મહારાજ ! લેણાની સચ્ચાઈ ત્યારે જ સાબિત થાય કે, જો બંનેના ચોપડા એમાં સાખ ભરે ! અમારા બાપ-દાદાના ચોપડામાં રાજના નામે કાણી કોડીનું પણ લેણું લખાયેલું નથી. છતાં રાજના ચોપડે નીકળતા લાખ્ખોના લેણાની આપ વાત કરો છો, તો મારે અમારા એ બધા ચોપડા ફરી એક વાર ઝીણી નજરે તપાસી જોવા પડશે. અમારા બાપ-દાદાના નામે કોઈ લેણું નોંધાયેલું રહી ગયું હોય, એ અસંભવિત જણાય છે. આવું કંઈ હોત તો એ ક્યારનુંય ભરપાઈ થઈ ગયું હોત !
ખૂબ જ નમ્રતા છતાં મક્કમતા સાથે વિમલે પોતાની વાત રજૂ કરી. ભીમદેવે એકદમ ગુસ્સે થઈને જવાબ વાળતાં કહ્યું : તો શું તમારો ચોપડો શાહુકારનો અને અમારો ચોપડો ચોરનો ! એવું ન બને કે, કોઈવાર લખવાનું રહી પણ ગયું હોય !
મહારાજ ! આમાં શાહુકાર-ચોરનો સવાલ જ ક્યાં છે ! હજી નાનકડી કોઈ રકમ લખવી રહી જાય, એ અસંભવિત નથી. પણ આપ તો લાખ્ખોનું લેણું જણાવો છો, એ કઈ રીતે ચોપડે નોંધવું ભૂલી જવાય ? શું હું એટલું જાણવાનો અધિકારી ખરો કે, રાજ્યનું આ લેણું કયા વિષયનું છે ?
ભીમદેવે કહ્યું : જરૂર, દંડનાયક ! જરૂર, વનરાજ ચાવડાના સમયથી સબળ મંત્રીવંશનો પાયો નાખનાર તમારા પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠીના પુત્ર લહિરે વનરાજ પછીના બે-ત્રણ રાજવીઓના રાજ્યકાળ સુધી મંત્રી તરીકે અદ્ભુત સેવાઓ આપી હતી. એમણે પરદેશથી લાખેણા ઘોડા ખરીદ્યા હતા, પણ એનું ‘દાણ’ એમણે ચૂકવ્યું નહોતું, આ દાણની રકમનો વ્યાજ સાથે આજ સુધીનો હિસાબ-કિતાબ અમારા મુનીમો માંડી રહ્યા છે. પણ સંભાવના પ્રમાણે લેણાની એ રકમ લાખોના આંકડાને તો વટાવી જ જશે. થોડા કલાકમાં જ આ બધો આબુ તીર્થોદ્ધારક
૨૧૮