________________
એ જ દિવસે માતા વિરમતિની સમક્ષ આખું ઘર ભેગું થયું. જરૂરી વિચારણાઓ થઈ. દંડનાયક વિમલને ખાતરી થઈ ગઈ કે, પાટણ છોડવાનો વખત આવશે, તો શ્રીદેવી પણ પોતાની જેમ જ પ્રસન્નપગલે પાટણ છોડી શકશે ! વળી થોડા દિવસો વીત્યા.
એ બંને દાવ નિષ્ફળ ગયા બાદ રાજા ભીમદેવ અને દામોદર મહેતા હવે હાર્યો જુગારીની અદાથી બમણું રમી લેવાની બાજી ગોઠવી ચૂક્યા હતા. એ મુજબ એક દિવસ ભરી રાજયસભામાં વિમલ જ્યારે નમસ્કાર કરીને ચરણરજ લેવા નમ્યા, ત્યારે ભીમદેવે એકાએક મોં ફેરવી લીધું અને પગ ખેંચી લીધા. આથી વજઘાત જેવી વેદના અનુભવતા દંડનાયક વિમલ ગળગળા બની ગયા. એમણે હાથ જોડીને પૂછ્યું :
મહારાજ ! જળમાંથી જ્વાળા નીકળે, ચંદ્ર ચિનગારીઓ વેરે, મહાસાગર મર્યાદા લોપે કે સૂર્ય અંધકારની વર્ષા કરે, તોય જે આશ્ચર્ય કે આઘાત ન અનુભવાય, એ આજે આપની અપ્રસન્નતા જોઈને હું અનુભવી રહ્યો છું. મારો કંઈ વાંક, મારો કંઈ ગુનો !”
ભીમદેવે કહ્યું: દંડનાયક ! મારી અનુભૂતિ પણ તમારા જેવી છે ! જળમાંથી જવાળાઓ ભભૂકી ઊઠત, ચંદ્રમાંથી ચિનગારીઓ ઝીંકાત, મહાસાગર માઝા મૂકી દેત કે સૂર્યમાંથી અંધકાર વેરાવા માંડત, તોય મેં જે આશ્ચર્ય કે આઘાતની અનુભૂતિ ન કરી હોત, એ રાજના ચોપડેથી તમારા બાપ-દાદાના નામે નીકળતા લાખોના લેણાનો લેખ વાંચીને મેં અનુભવી છે !
ભીમદેવના મોઢામાંથી આ શબ્દો નહોતા નીકળ્યા, પણ જાણે સણસણતાં ધારદાર બાણ નીકળ્યાં હતાં અને એ બાણ વિમલના મર્મભાગમાં ઝંઝાવાતી-ઝડપે ખૂંપી ગયાં હતાં. વિમલની આંખ આગળ છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાઓ પાછળના બદઇરાદાઓ નગ્નસ્વરૂપે ઊપસી આવ્યા. થોડી ક્ષણો માટે તો એઓ અવાક બની ગયા. એમને થયું કે, એ વાઘ અને એ મલ્લ સામેના સંગ્રામમાં હું ખપી ગયો મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૧૭