________________
તેમ ઢળતો વિજય અંતે દંડનાયક વિમલ તરફ વધુ પ્રમાણમાં નમ્યો અને મલ્લે દંડનાયકના ચરણ ચૂમતાં હાર સ્વીકારી.
આખી સભા દંડનાયક વિમલનો જયજયકાર જગવી રહી. અંદરથી ભોંઠા પડી ગયેલા ભીમદેવે વિમલની પીઠ થાબડી, પણ એમાં સગી મા જેવો સ્નેહ નહિ, ઓરમાન મા જેવો પ્રહાર હોય, એમ વિમલને લાગ્યું : છેલ્લા બંને વિજયમાં પ્રજા તરફથી જેમ પ્રચંડસન્માન સાંપડ્યું હતું. એમ રાજા તરફથી સાંપડેલો સત્કાર લુખ્ખો હોય, એવી અનુભૂતિ થતાં વિમલનું મન જરા બેચેન બન્યું. ભારે પગલે એઓ ઘરે ગયા. વીરમતિ આગળ હૈયાની આશંકા એમણે રજૂ કરી.
વીરમતિનું ચકોર હૈયું રાજા ભીમદેવની મેલી મુરાદ કંઈક પારખી ચૂક્યું હતું. એથી એમણે કહ્યું : ભીમદેવ સામે ચઢીને આપણા ઘરે આવ્યા. એમની સાથે દામોદર મહેતા જેવી વ્યક્તિઓ જોડાઈ, ત્યારથી જ દાળમાં કંઈક કાળું હોવાની આશંકા સેવતું મારું મન, આ બે બનાવોની વિગત સાંભળતાં વધુ સાશંક બને છે, ખરેખર પેલી વાણી “રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા” સાચી પડવાની પૂર્વભૂમિકા રચાતી હોય એમ લાગે છે. માટે આપણે હવે સાવધ બની જઈએ, જેથી ગમે તે પળે પાટણના પરિત્યાગનું ફરમાન છૂટે, તો કાચી પળનોય વિલંબ કર્યા વિના આપણે એ ફરમાનને અમલી બનાવી શકીએ !
દંડનાયક વિમલે કહ્યું : માતાજી ! હું તો એ ત્રણે દૈવી શક્તિઓને અવારનવાર એવી પ્રાર્થના કરતો રહું છું કે, આબુના તીર્થોદ્ધારની ભૂમિકા દઢ બને, એવું વાતાવરણ જલદી સર્જાય, એ માટે આપની કૃપા સક્રિય બને !
વિરમતિએ ભાવિને ભાળતી પોતાની અનુભવી દૃષ્ટિનું દર્શન કરાવતાં કહ્યું કે, મને એમ ચોક્કસ લાગે છે કે, પાટણ છોડવું પડશે, તોય નેઢની સેવાને જાકારો આપવા ભીમદેવ તૈયાર નહિ થાય, કારણ કે દામોદર મહેતાની કરડી નજર માત્ર વિમલ પર જ કતરાતી રહી છે.
૨૧૬ ૯
આબુ તીર્થોદ્ધારક