________________
એથી રાજા ગમે તેવા ગુણિયલ હોય, તોય યોગ્ય વ્યક્તિ પર થતી એની કૃપા-વર્ષા કેટલો સમય ચાલે એ કહી ન શકાય, કારણ કે કાનમાં ઝેર રેડનારાં તત્ત્વો એની આસપાસ ઘૂમતાં જ રહેતાં હોવાથી એની ભંભેરણીનો ભોગ બનેલા રાજા ક્યારે આગ વરસાવા મંડી પડે, એ ન કહી શકાય અને ત્યારે શાણાઓના મોંમાંથી એવો ભાવ ધ્વનિત થઈ જાય કે, રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા ! ભાઈ, રાજા સાથેની મિત્રતા અખંડ રહે, એવું કોઈએ જોયું-સાંભળ્યું છે ખરું?
રાજવી ભીમદેવ જોકે ગુણના ભંડાર હતા, પણ ગમે તેમ એ રાજા હતા, અને રાજાની આસપાસ એવાં એવાં તત્ત્વોનું ઓછા-વત્તા પ્રમાણમાં અસ્તિત્વ તો હોય જ કે, જેઓના હોઠ પર અમૃત હોય, પણ હૈયામાં તો હલાહલ જ ઘોળાતું હોય ! દામોદર મહેતાની આગેવાની નીચે વર્ષોથી રાજકારણમાં રસ લેતું એ ટોળું આવું જ હતું. જેના મોઢામાં કંઈ હોય, મનમાં બીજુ કંઈ હોય અને ક્રિયામાં તો વળી ત્રીજું જ કંઈ દેખાતું હોય !
દામોદર મહેતા વિમલનો તેજોવધ કરવાના મનસૂબા તો વર્ષોથી ઘડી રહ્યા હતા, પણ એમની આ મહેનત જેમ વધતી જતી હતી, એમ ઉપરથી વિમલના તેજમાં વૃદ્ધિ થતી જતી હતી. છેલ્લા ઉપાય તરીકે એમણે વિમલના નવા મહેલમાં રાજાનો પ્રવેશ થાય, એવું પાસું નાખ્યું અને એ પોબાર પડ્યું. મહેલની સમૃદ્ધિ જોઈને રાજા વિમલના પુણ્યની તારીફ કરતા પાછા ફર્યા. આમ, ચોપાટ બરાબર ગોઠવાઈ ગયા બાદ હવે જ ખરા દાવ નાખવાના હતા અને વિમલના પુણ્યથી રાજી થતા ભીમદેવના અંતરમાં ઈર્ષાના અંગારા જલતા મૂકવાના હતા.
ભીમદેવ હજી ગઈ કાલે જ જોયેલી વિમલની પુણ્યાઈના વિચારમાં મગ્ન હતા, ત્યાં જ દામોદર મહેતાનું આગમન થયું.આગતા-સ્વાગતા કરવા પૂર્વક એમને યોગ્ય સ્થાને બેસાડીને પછી રાજા ભીમદેવે કહ્યું : મહેતા ! કહેવાય છે કે આપ મૂઆ વિના સ્વર્ગ ન જોવાય, પણ કાલે તો સદેહે જ સ્વર્ગનું સૌભાગ્ય જોવા મળ્યું ! આ બદલ... મંત્રીશ્વર વિમલ છે ૨૦૯