________________
પુણે અમે સૌ સુખી છીએ. કોઈ પણ ભોગે અમે આપને આ કોટની બહાર વસવા દેવા માંગતા નથી. અમને એવો વિશ્વાસ છે કે, આટલી વાત પરથી આપ બધું સમજી જ ગયા હશો ! નીના શેઠે હળવું હાસ્ય કરતાં કહ્યું : તમે બધા મને દાન કરતા અટકાવવા આવ્યા લાગો છો, પણ પુણ્ય જ્યારે પરવારવાનું હોય, ત્યારે કોટિધ્વજ તો શું, પણ આ જન્મભૂમિને પણ તજવાનો વખત આવે !
સામેથી પ્રશ્ન થયો : પણ આપ તો પુણ્યથી પૂરા-શૂરા છો, લક્ષ્મીદેવીના આપની પર ચાર હાથ છે, પછી આવી અમંગળ વાણી ઉચ્ચારવાનો શો અર્થ?
નીના શેઠને થયું કે, અંતરની વાત કર્યા વિના હવે ચાલશે જ નહિ, એથી એમણે સ્વપ્નની વાત રજૂ કરી અને હવે પછીના થોડા જ દિવસોમાં ગાંભુ ભણી પ્રયાણ કરવાનો લીધેલો નિર્ણય જણાવ્યો. શેઠની આ વાત સાંભળી સૌએ આઘાત અનુભવતાં કહ્યું : શેઠ ! પણ અમે બધા બેઠા છીએ ને ? અમારા પૈસા આપના જેવા સાધર્મિકની ભક્તિમાં આવા અવસરે કામ નહિ આવે તો ક્યારે લાગશે ? માટે અમે લળીલળીને વીનવીએ છીએ કે, આપ કોઈ પણ હિસાબે આ કોટિધ્વજનો ત્યાગ ન જ કરતા, પછી આ જન્મભૂમિનો ત્યાગ કરવાની વાતને તો અવકાશ જ ક્યાં રહે છે ?
નીના શેઠે જવાબમાં કહ્યું : તમારા જેવા સાધર્મિક સાથે સહવાસ મળવા બદલ તો જેટલી ધન્યતા અનુભવું એટલી ઓછી છે, પણ આ રીતે તમારી ભક્તિ પર જીવવા કરતાં શક્તિ અજમાવીને જીવવામાં જ પુરુષનું પુરુષાતન દીપે છે. આ વાત શું તમારા જેવા શાણાઓને પણ મારે સમજાવવાની હોય ખરી ?
પોરવાડ-શ્રેષ્ઠીઓ અને શેઠ છૂટા પડ્યા. બંને પોત-પોતાની વાતને વળગી રહ્યા હતા, પણ અંતે નીના શેઠની મક્કમતા આગળ સૌને નમતું તોળવું પડ્યું. આ પછી બીજી જ્ઞાતિઓના આગેવાનોએ પણ નીના શ્રેષ્ઠીને પોતાનો નિર્ણય બદલવા ઘણી ઘણી વિનંતી કરી,
| ૧૦ ૬ આબુ તીર્થોદ્ધારક