________________
ગણવું જોઈએ, કારણ કે જીવન, પવન અને તનની જેમ ધનનો સ્વભાવ પણ ચલ છે. માટે આ ચલના ભોગે અચલ એવો ધર્મ જેટલો થાય, એટલો કરી જ લેવો જોઈએ. આ સાંભળીને શેઠના આનંદને કોઈ આરો-ઓવારો ન રહ્યો. આવો પરિવાર મળવા બદલ મનોમન એઓ જાતને બડભાગી માની રહ્યા.
સરિતાનો સ્વભાવ જલ-દાન કરવાનો છે, એમાં વળી પાછી વર્ષાઋતુ આવે અને મેઘરાજા પૂરી મહેર કરે, પછી સરિતાના એ સ્વભાવમાં થતો વધારો કોણ કલ્પી શકે ? નીના શેઠની દાનસરિતા માટે જાણે લક્ષ્મીદેવીની ભવિષ્યવાણીએ વર્ષાઋતુની ગરજ સારી અને એથી દાનની એ નદીના પ્રવાહોએ સાત ક્ષેત્ર તરફ વળાંક લઈને જૈનશાસનનો જય જયકાર જગવવામાં કંઈ બાકી ન રાખ્યું ! એકદમ હેલે ચડેલી શેઠની દાન-ભાવના ભિન્નમાલને એક વાર તો આશ્ચર્યચકિત બનાવી ગઈ. ભિન્નમાલમાં એ વખતે પ્રાગવાટ-પોરવાડ જ્ઞાતિની આબાદી ચરમ શિખરે પહોંચેલી હતી અને નીના શેઠ પોરવાડ જ્ઞાતિના એક અગ્રગણ્ય તરીકે પંકાયેલા હતા. મન મૂકીને ધનની વર્ષા કરતા શેઠને જોઈને પોરવાડ જ્ઞાતિના થોડાક શ્રેષ્ઠીઓ એક દિવસ નીના શેઠ પાસે જઈ પહોંચ્યા અને એમણે કહ્યું : શેઠ ! આપને તો એ વાતની ખબર જ હશે કે, આ નગરમાં કોટની અંદર કોણ વસી શકે છે?
આ પ્રશ્નનું રહસ્ય પામી જતાં શેઠને વાર ન લાગી, છતાં એમણે મનની વાત છુપાવતાં કહ્યું. હું જ શા માટે સૌ કોઈ આ વાતથી પરિચિત છે. કોટિપતિને જ આ કોટમાં વસવાનો અધિકાર છે અને લખપતિ કોટની બહાર રહેવા બંધાયેલો છે. આ વાત તો અહીં આબાળ-ગોપાળ પ્રસિદ્ધ છે. એથી મને આશ્ચર્ય થાય છે કે, તમને આજે આવો પ્રશ્ન કરવાનું કેમ મન થયું ?
પોરવાડ-શ્રેષ્ઠીઓએ કહ્યું : અમને પણ એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે આપ આટલું જાણો છે, છતાં કોટિધ્વજ ઉતારવો પડે, એવી પ્રવૃત્તિ આપે શા માટે આદરી છે? આપ તો અમારા નાક છો, આપના મંત્રીશ્વર વિમલ ૨૦ ૯