________________
ધીમે ધીમે તમારા ઘરમાંથી વિદાય લઈશ, પણ એટલી મારી ભવિષ્યવાણી કાળજે કોતરી રાખજો કે, તમારા પુણ્ય ને પ્રારબ્ધને ફરી જાગ્રત થવા માટે ગુજરાતની ભૂમિ પર આવેલું ગાંભુનગર એક ખૂબ જ અનુકૂળ ક્ષેત્ર છે.
લક્ષ્મીદેવીની આ આગાહી સામે શેઠને કોઈ જાતની દલીલ કે કોઈ જાતની અપીલ કરવાની ન હતી. આટલો વખત સુખની મજા માણી, તો હવે દુઃખની સજા પણ સહર્ષ વેઠવા એઓ તૈયાર હતા. એમના અંતરમાં એવો આનંદ-ધ્વનિ ગુંજી ઊઠ્યો કે આ દિવસોય એક દહાડે પસાર થઈ જશે ! શેઠના મોં પર ફરિયાદનો કોઈ ભાવ ન કળાતાં લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગયાં. શેઠ પાછા ઘસઘસાટ સૂઈ ગયા.
બીજે દિવસે શેઠે જ્યારે શવ્યાનો ત્યાગ કર્યો, ત્યારે એમનાં તન, મન, બદન પર રોજ જેવી જ પ્રસન્નતા પ્રકાશ વેરી રહી હતી, કારણ કે એમના અંતરમાં પાકો વિશ્વાસ હતો કે, લક્ષ્મીદેવીની જે આગાહી મને અપ્રસન્ન બનાવી શકી નથી, એ મારા પરિવારને પણ અપ્રસન્ન નહિ જ બનાવી શકે ! એથી સમય મેળવીને શેઠે પોતાના પરિવારને એકઠો કરીને ગઈ રાતના સ્વપ્નની વાત કહી સંભળાવી. એ વાત પૂરી થતાં જ સાવ સહજ રીતે શેઠના પુત્ર લહિરે પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું : પિતાજી ! આપણે એટલા પુણ્યશાળી ગણાઈએ કે, આ રીતે લક્ષ્મીદેવીએ આપણને દાન-પુણ્ય કરવાનો અવસર આપ્યો ! જો લક્ષ્મીદેવી હવે વિદાય થવાનાં જ છે, તો પછી આ લક્ષ્મીનો થાય એટલો સદુપયોગ સાત ક્ષેત્રમાં કરવા દ્વારા, આવા પ્રસંગે પણ આપણને અણનમ રહેવાનું પીઠબળ પૂરું પાડનારા જિનધર્મની જેટલી સેવા થાય, એટલી કરી લઈએ અને પછી ગુજરાત ભણી જવાનો વિચાર કરીએ.
આ વાતને સુલલિતાદેવીએ પણ વધાવી લીધી. એમણે કહ્યું કે, લક્ષ્મીદેવી વિદાય થવાનાં છે, એ આશ્ચર્યની વાત ન ગણાય, પણ આટલા દિવસ સુધી તેઓ આપણે ત્યાં સ્થિર થયાં, એને જ આશ્ચર્ય
૮ આબુ તીર્થોદ્ધારક