SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ હતો - આ વાતની અગ્નિપરીક્ષા લેતી એક પરિસ્થિતિ, અણધારી અને એકાએક આવી. પણ એ પરીક્ષાની અગનજવાળામાં તો સુવર્ણની જેમ એ સૌનો ધર્મ-રંગ વધુ ઝળકી ઊઠ્યો. બન્યું એવું કે, એક રાતે લક્ષ્મીદેવીએ નીના શેઠને સ્વપ્નમાં દર્શન દીધાં અને પૂછ્યું કે “શેઠ ! કહો કે બળવાન કોણ ! હું લક્ષ્મીદેવી કે પુણ્યદેવ ?” શેઠ સમજુ હતા, એમણે કહ્યું : સામાન્ય જન ભલે લક્ષ્મીદેવીને બળવાન માને, પણ ખરી રીતે તો પુણ્યદેવ જ બળવાન છે. કારણ કે પુણ્યદેવ જ લક્ષ્મીદેવીને વશ બનાવવા સમર્થ છે. પુણ્યનો દેવ રીઝે, તો રંક પણ રાજા બની જાય, અને દેવ ખીજે, તો ઘડી પહેલાંનો રાજા ઘડી પછી રંકમાં ફેરવાઈ જાય ! લક્ષ્મીદેવી શેઠની સમજણ પર ઓવારી ગયાં. એમણે કહ્યું : એક વાતની આગાહી કરવા હું આવી છું, પણ મને ભય છે કે, એથી તમને દુઃખ તો નહિ થાય ને? શેઠને વાતનો કંઈક એવો અણસાર તો આવી ગયો કે, કદાચ મારો પુણ્યનો ભંડાર ખૂટ્યો હોય અને એથી આ લક્ષ્મીદેવી વિદાય માંગવા આવ્યાં હોય ? છતાં ધર્મ-રંગી શેઠે અપૂર્વ ખુમારી સાથે કહ્યું કે, દેવી ! એમાં ડર રાખવાની શી જરૂર છે ! જે હોય, એ નિઃસંકોચ કહી દો. ધર્મનાં જેણે ધાવણ પીધાં હોય, એ જેમ સુખમાં જીવી જાણે છે, એમ દુઃખમાંય મસ્તીથી જીવી જાણવાનું ધર્મ-બળ એની પાસે હોય જ છે. - લક્ષ્મીદેવીને થયું કે, અરે ! મારે શું આવા ધર્મી શેઠ પાસેથી વિદાય લેવી પડશે ? એમણે કહ્યું શેઠ ! ધર્મનાં ધાવણ તમે ખરેખર પચાવી જાણ્યાં છે ! બોલતાં મારી જીભ ઊપડતી નથી, પણ હું પરવશ છું, એથી કપાતા કાળજે આજે કહેવું પડે છે કે, તમારો પુણ્યનો ભંડાર હવે ખૂટવા આવ્યો છે, એથી પુણ્યદેવના આદેશને શિરોધાર્ય રાખીને મારે હવે નછૂટકે આ ઘર છોડવાનો વખત આવ્યો છે. હું મંત્રીશ્વર વિમલ () ૭
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy