________________
વરતી હોય છે, જ્યારે અસામાન્ય પુરુષોની પાછળ એમના પુણ્યથી આકર્ષિત દેવશક્તિ ભક્તિ માટે દોડધામ કરતી હોય છે. નીના શ્રેષ્ઠીને આવા અસામાન્ય પુરુષોની કક્ષા આપવી પડે, એમ હતી. કારણ કે લક્ષ્મીદેવી એમની પર ચાર હાથે કૃપા વેરતાં હતાં, અને એઓ પણ પુણ્યયોગે મળેલી લક્ષ્મીનો એવો સુંદર સદુપયોગ કરતા હતા કે, લક્ષ્મીદેવીને એમના ઘરમાંથી ખસવાનું મન જ થતું નહોતું !
પૈસાથી પૂરા પુરુષો ઘણીવાર પુત્રથી અધૂરા હોય છે, એથી એક આ અધૂરાશ એમની સંપૂર્ણ પુરાંતને ઉધારમાં ખતવી દેતી હોય છે. નીના શ્રેષ્ઠી આ વાતેય સુખી હતા. એમને લહિર નામનો એક એવો સુપુત્ર હતો કે, જેના દર્શનથી લોકો બોલી ઊઠતા કે, ભાઈ ! આ તો સિંહપુત્ર છે, એકલપંડે હજારને હંફાવે, એવો આ લહિર તો પૂરા પુણ્યશાળીને જ મળે !
નીના શ્રેષ્ઠીનાં ધર્મપત્ની સુલલિતા-દેવી પણ પોતાના પતિદેવનું નામ રાખે એવાં હતાં. સૌંદર્યમાં, સૌહાર્દમાં અને શીલમાં એમની જોડ જડવી મુશ્કેલ હતી. આમ લોકોની દૃષ્ટિએ તો નીના શ્રેષ્ઠીના આંગણે જાણે સ્વર્ગ જ અવતર્યું હતું. આવી અઢળક સમૃદ્ધિનું સ્વામીત્વ મળવા છતાં, નીના શ્રેષ્ઠીમાં ગર્વનો છાંટોય જોવા નહોતો મળતો. એઓ સમજતા હતા કે, આ સંસાર તો પુણ્ય-પાપને લીલા કરવાનું એક ક્રીડાંગણ છે, આમાં કદીક પુણ્ય પ્રબળ હોય છે, ત્યારે સુખનો સાગર લહેરાય છે, તો પાપ જ્યારે પ્રબળ બને છે, ત્યારે આ સાગરને સૂકવી નાખતો દુઃખનો દાવાનલ ભડભડી ઊઠે છે ! એથી સુખમાં લીન બનવું અથવા તો દુઃખમાં દીન બનવું, એ ડહાપણનું કામ નથી. પોતાના પરિવારને નીના શ્રેષ્ઠી અવારનવાર હૈયામાં જડાઈ ગયેલી આવી આવી ઘણી વાતો કરતા, એથી એમનો આખો પરિવાર ધર્મના રંગે રંગાયેલો જોવા મળતો.
વર્ષો વીતી ગયા પછીની કોઈ અશુભ પળે, શેઠ અને શેઠના પરિવારને લાગેલો ધર્મ-રંગ હળદરિયો હતો કે અસ્થિમજ્જા જેવો સુદૃઢ આબુ તીર્થોદ્ધારક
૬