________________
આટલા દિવસ તો હું એંઠવાડ જેવું જ ખાતો અને ખાબોચિયાનાં પાણી જ પીતો હતો ! અન્ન-પાણીમાં પણ આવો અમૃતસ્વાદ સંચારિત થઈ શકે છે, એ વાતનો તો આ ભોજનિયાં ન લીધા હોત, તો મને સ્વપ્નયા ખ્યાલ જ ન આવત !
સમી સાંજે રાજા ભીમદેવ પોતાના મહેલ તરફ પાછા ફર્યા ત્યારે એઓ મનોમન બોલી રહ્યા હતા કે,વિમલ જેને ઝૂંપડી માને છે, એ જ સાચો મહેલ છે ! અને હું જેને મહેલ ગણું છું, એ તો ઝૂંપડીથી વિશેષ કંઈ નથી ! મારા નગરમાં આવી પુણ્યાઈ પણ વસે છે, એ શું મારા માટે ગૌરવ લેવા જેવું નથી ?
આવી અનેકવિધ વિચારસૃષ્ટિ ભીમદેવના મનમાં લાંબા વખત સુધી સફર ખેડતી જ રહી. બીજા દિવસે બપોરે લાગ જોઈને દામોદર મહેતા રાજભવનમાં આવ્યા. રાજા ભીમદેવે એમને સત્કાર આપીને બોલાવ્યા. કાશ ! તો કેવું સારું થાત કે, જો ભીમદેવની પાસે સંજય દષ્ટિ હોત, તો તોફાનની તાકાતને તાણી લાવતી શાંતિને આવકારવાની જેમ તેઓ મહેતાને આવકાર આપવાથી આઘા રહેત ! પણ પાટણની પ્રતિષ્ઠા માટે જોખમી બનનાર એક વાવાઝોડું ત્રાટકવાનું જ હોય, ત્યાં આવા વિચારને અવકાશ જ ક્યાંથી રહે !
મંત્રીશ્વર વિમલ
૬ ૨૦૭