________________
જેનામાં પ્રાણ પૂરવાનો જ બાકી હોય, એવી પૂતળીઓ થાંભલે થાંભલે કંડારાયેલી હતી. કોઈ ઠેકાણે ભોંયતળિયું એવા અદ્ભુતપથ્થરોથી જડવામાં આવ્યું હતું કે, ત્યાં થઈને આગળ વધનારી વ્યક્તિ, પાણી હોવાના ભ્રમથી એક વાર તો અટકી જ જાય અથવા કપડાં ઊંચાં કરીને ચાલવાનો પ્રયાસ આદરે. ચિત્રશાળાની દીવાલોમાં, ઉપવનો, મૃગલાંઓ, સરોવરો, સૂર્ય-ચંદ્ર અને આવી આવી રમણીય સૃષ્ટિથી સભર કુદરતી વાતાવરણમાં જાણે સાક્ષાત્ કંઈ જિનમંદિરો-તીર્થોની દુનિયાએ અવતરણ કર્યું હતું. ચંદરવાઓમાં જાણે આકાશ પ્રતિબિંબિત થતું હતું. સંગીત શાળાઓમાંથી ફેલાતો ધ્વનિ ગાંધર્વ-સૃષ્ટિને યાદ કરાવે એવો હતો. બહારના બગીચાઓમાંથી પરિમલ લઈને અંદર આવતો પવન વાતાવરણને સુગંધથી ભરી દેતો હતો.
ભીમદેવ સહિતની મોટી પ્રજાને સુખપૂર્વક સમાવતા એ મહેલના આંગણે હાથીઓ ઝૂલી રહ્યા હતા અને અશ્વો છેષારવ કરી રહ્યા હતા. ભીમદેવ મહેલના મધ્યખંડમાં આવીને બિરાજ્યા. વિમલે વિનંતી કરી : મહારાજ ! ભોજનિયા તૈયાર છે. આપ અહીં પધાર્યા, ચામડી,નાક,આંખ,કાનઃ આ ચાર ઇન્દ્રિયોને તો પોતપોતાને યોગ્ય ખોરાક મળ્યો. પણ આ બધામાં મહારાણીનું પદ ભોગવતી જીભને સંતોષ આપ્યા વિના તો હવે જવાય જ નહિ !
મહેતા દામોદરની એક પછી એક ધારણાઓ ટપોટપ ધરાશાયી બની રહી હતી. એમની ધારણાઓ તો એવી એવી હતી કે, વિમલ ભીમદેવને આમંત્રણ જ નહિ આપે, કદાચ આપશે તોય આટલા બધા મોટા પ્રધાન-પરિવારને જમાડવામાં એ ઊણો ઊતરશે અને લોકોને કંઈક હલકું બોલવાનો અવસર મળશે.
રાજાએ ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું. બત્રીસાં પકવાન અને તેત્રીસાં શાક સાથે પીવાનાં પાણી પણ એવાં સ્વાદિષ્ટ અને સુગંધી પીરસાયાં હતાં કે, એ પાણીથી જ પેટ ભરવાનું મન થાય ! રાજા ભોજન કરીને ઊભા થયા, તો એમને એવી અનુભૂતિ થઈ રહી છે,
૨૦૬ %
આબુ તીર્થોદ્ધારક