________________
શરૂ કર્યું હતું, એ કામ કેટલે પહોંચ્યું? યુદ્ધની આ બધી યાત્રાઓથી એમાં ઠીકઠીક વિક્ષેપ પડ્યો હશે કેમ વારું ?
દંડનાયકે જવાબમાં બાળ-સુલભ સરલતાનો આશરો લેતાં કહ્યું : મહારાજ ! આપની કૃપાથી આ કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે. દહેરાસરની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. હું આપની પધરામણી કરાવવા ક્યારનોય ઉત્સુક છું, ઝૂંપડી જેવા અમારા એ આંગણમાં પધારવાનું આપને કંઈ સામેથી કહેવાય ખરું ? છતાં વિનંતી કરું છું કે, મુજ રાંકની આ ઝૂંપડીમાં પધારશો, તો હું ધન્ય ધન્ય બની જઈશ.
રાજા ભીમદેવે એ વિનંતી સ્વીકારી લઈને પોતાના મંત્રીમંડળ સમક્ષ મોં ફેરવતાં કહ્યુંઃ કાલે બધા તૈયાર થઈને આવજો. બરાબર આ જ સમયે આપણે સૌએ વિમલનું નવું નિર્માણ જોવા જવાનું છે !
મંત્રી નેઢ અને દંડનાયક વિમલની પ્રસન્નતાનો પાર ન રહ્યો. વાંભ વાંભ ઊછળતા સાગર જેવા વૈભવ વચ્ચેય, વિમલના તન-મનમાં તરવરતી આવી વિનમ્રતા જોઈને ભીમદેવ પોતાની જાતને ધન્ય ગણી રહ્યા. પાસા પોબાર પડવા બદલ દામોદર મહેતાય પ્રસન્ન જણાઈ રહ્યા હતા.
દિવસને વીતતાં તો શી વાર ! બીજે દિવસે દંડનાયક શ્રી વિમલ અનોખા સાજ-શણગાર અને સાજન માજન સાથે ભીમદેવને તેડવા સમયસર દરબારમાં જઈ પહોંચ્યા. પાટણમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, એથી પ્રજાનો ઘણો મોટો ભાગ, ભીમદેવને સત્કારીને વિમલને ત્યાં લઈ જવાની એ સત્કારયાત્રામાં સામેલ થયો.
એ સવારી વિમલના મહેલ આગળ જઈ પહોંચી. આંગણામાં જ એક નાનકડું છતાં દેવવિમાનની દિવ્યતા યાદ કરાવે, એવું ગૃહમંદિર નજરે પડ્યું. એના દર્શનનો લાભ લઈને પછી સૌ મહેલમાં પ્રવેશ્યા. પ્રવેશની એ પળે જ ભીમદેવને થયું કે, હું શું સ્વર્ગમાં તો પ્રવેશ કરી રહ્યો નથી ને ? સૌ ચોમેર નજર ફેરવી રહ્યા : આ બારણું સ્વર્ગનું બારણું તો નથી ને ? મંત્રીશ્વર વિમલ 25 ૨૦૫