________________
એમણે પૂછ્યું : મહેતા ! લોકો વાતો કરે છે,એમાં સચ્ચાઈનો થોડોઘણો પણ અંશ તો હોવો જ જોઈએ ને ? શું ખરેખર એ સ્થાપત્ય આટલું બધું અદ્ભુત છે ?
‘મહારાજ ! સચ્ચાઈના અંશની તો શી વાત કરો છો ? એ સ્થાપત્યનું જે અદ્ભુત નિર્માણ થયું છે. એનું સાવ આછું-પાતળું પ્રતિબિંબ પણ લોકોની વાતોમાં ઝિલાયું હશે કે કેમ એ શંકા છે. એથી પેલી કહેવતમાં જરા ફેરફાર કરીને એમ કહી શકાય કે, આપ મૂઆ વિના જેમ સ્વર્ગમાં ન જવાય, એમ જાતે પગ ઘસીને ગયા વિના એ નિર્માણની નજાકતતા ખરા સ્વરૂપમાં કલ્પી ન શકાય ! આ ભવનનું નિર્માણ ન થયું હોત, તો પાટણમાં આવા શિલ્પવિશારદો છે, એનો આપણને મરતા સુધી ખ્યાલ પણ ન આવત ! આવા નયનરમ્ય એ નિર્માણની ભવ્યતા લોકોની વાતોમાં તો ઝિલાઈ ઝિલાઈને કેટલી ઝિલાય !
‘શું વાત કરો છો, મહેતા ! વિમલે આટલી બધી શિલ્પકલા ત્યાં ઠાલવી દીધી છે ! તો તો આ સ્થાપત્યને જોવા જવું જોઈએ. જાણ્યા કરતાં જોયું ભલું !
‘ભીમદેવના દિલમાં એ સ્થાપત્યનું બરાબર આકર્ષણ પેદા થઈ ગયું. મહેતાએ વળતો જવાબ આપ્યો ઃ મહારાજ ! અમારે તો એ મહેલ જોવા જવું હોય, તો હજાર વાર વિચાર કરવા પડે ! આપ તો ધણીનાય ધણી છો અને દંડનાયક આપના તો આજ્ઞાંકિત ચાકર છે, આપ ઇચ્છા વ્યક્ત કરશો, એટલે એઓ રાજીરાજી થઈ જઈને પોતાની પીઠની પાલખીમાં આપને પધરાવીને પોતાના એ મહેલમાં લઈ જશે. મહારાજ ! આવું કંઈ નક્કી થાય, તો આ સેવકને સાથે લઈ જવાની કૃપા કરજો. જેથી અમારા જેવાની આંખ પણ ધન્ય બની જાય !
દામોદર મહેતા કપટની જાળ પાથરીને વિદાય થયા, બીજે દિવસે ભીમદેવે સાવ સાહિજક ભાવ વ્યક્ત કરવાપૂર્વક વિમલને પૂછ્યું તમે એક દહેરું-દહેરાસર ચણાવવાનું અને એક નવું નિવાસસ્થાન બંધાવવાનું
આબુ તીર્થોદ્ધારક
૨૦૪