________________
એકઠી કરવા મંદ મંદ મોજાં સાથે લહેરાતા મહાસાગરની સોહામણી સપાટી જેવી હતી? એનો ફલાદેશ ભાખવો સહેલો ન હતો, કારણ કે દામોદર મહેતા જેવી વ્યક્તિ-શક્તિઓ, તોફાનને તાણી લાવતી શાંતિની અદાનો અભિનય આબાદ ભજવી રહી હતી.
દામોદર મહેતાની નજરમાં વિમલ જ આંખના કણાની જેમ ખૂંચતા હતા. કારણ કે દંડનાયકના પદને એઓ શોભાવતા હતા. દંડનાયક ધારે તો સિંહાસને બેઠેલા રાજાને રખડતા ભિખારી અને રખડતા ભિખારીને મહાસામ્રાજયનો માલિક બનાવી શકે, એવી તાકાત ધરાવતા હતા. એથી મંત્રી નેઢની એમને કોઈ ચિંતા નહોતી, દંડનાયક જ એમની ઈર્ષાનો વિષય હતા.
એક દહાડો ઠીક ઠીક સાહસ એકઠું કરીને દામોદર મહેતા પોતાના સાગરીતો સાથે ભીમદેવ પાસે જઈ પહોંચ્યા. ખબરઅંતર પૂક્યા પછી એમણે કપટની જાળ પાથરતાં કહેવા માંડ્યું. મહારાજ ! આ પાટણની પ્રતિષ્ઠા આજે તો એવી જામી છે કે ભલભલાને આની ઈર્ષા થાય ! અને આમાં દંડનાયકનો જ ફાળો છે, એને કોઈ જ વીસરી શકે એમ નથી.
વિમલનું નામ આવતાં જ ભીમદેવનું મોટું ભરાઈ આવતું હતું. એથી એમણે કહ્યું કે, ભાઈ ! આનું નામ જ પુણ્યાઈના પ્રકાશ! ઢોર ચારતા એ દહાડાના વિમલને જોઈને કોઈને કલ્પના આવી હશે ખરી કે, આ આવતી કાલનો ગુર્જર રાષ્ટ્રનો નવસર્જક બનશે?
“મહારાજ ! આ તો બહુ આઘેની વાત ગણાય પણ વિમલે હજી થોડા મહિનાઓ પૂર્વે જે નવું મકાન બાંધવાનું શરૂ કર્યું હતું અને
જ્યારે એના પાયા પુરાયા હતા, ત્યારે કોઈને એવી કલ્પના પણ આવી શકી હશે ખરી કે, આ સ્થાપત્ય પાટણના સ્થાપત્યોમાં શિરમોર બની જશે !”
મહેતાએ ધીમે ધીમે કપટની જાળ બિછાવવા માંડી. ભીમદેવ પણ આ સ્થાપત્ય અંગે પાટણમાં થતી વાતોથી પૂરા પરિચિત હતા, એથી મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૦૩