SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતી વિજયમાં મહિનાઓ પસાર કરીને મહારાજ ભીમદેવ જ્યારે પાટણમાં પ્રવેશ્યા, ત્યારે બકુલાદેવી હર્ષ અનુભવે એ સહજ હતું કારણ કે એક પતિવ્રતા નારીની અદાનો પોતાનો જીવન-વ્યવહાર આ વિજય-યાત્રાના દિવસો દરમિયાન એણે જાળવી જાણ્યો હતો. ગુપ્તચરો દ્વારા આ સમાચાર મળતાં જ ભીમદેવ બકુલાદેવીની આવી નિયમનિષ્ઠા પર ખૂબ જ ખુશ થયા અને શુભ દિવસે એમણે પોતાની એક રાણી તરીકે બકુલાદેવીને અંતઃપુરમાં પ્રવેશ આપ્યો. આ બકુલાદેવીની ‘વંશપરંપરા'માં જ આગળ જતાં પરમાર્હત્ શ્રી કુમારપાળ ભૂપાલ થયા, બકુલાદેવીના પુત્રનું નામ ક્ષેમરાજ. એનો પુત્ર દેવપ્રસાદ. એનો પુત્ર ત્રિભુવનપાળ અને એના ત્રીજા પુત્ર કુમારપાળ ભૂપાળ ! આમ, બકુલાદેવી એક મહાન રાજવીના જનમમાં પરંપરાએ નિમિત્ત બનવાનું ભાગ્ય ધરાવતી હતી. ભીમદેવની એક પટરાણીનું નામ ઉદયમતી હતું. એના પુત્રનું નામ કર્ણદેવ હતું, આ કર્ણદેવનો પુત્ર ભવિષ્યમાં જયસિંહ સિદ્ધરાજ - તરીકે ખૂબ જ ઇતિહાસપ્રસિદ્ધ બનવા પામ્યો. આ રીતે ભીમદેવનું શાસન વિ. સ. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધી ૪૨ વર્ષ પર્યંત ચાલ્યું. કર્ણદેવની જેમ ભીમદેવને એક મૂળરાજ નામનો પુત્ર પણ હતો, એ ભારે દયાળુ હતો, એક વાર અનાવૃષ્ટિના કારણે ચિંતાતુર ખેડૂતો રાજકર કંઈ રીતે ભરી શકશે, એ વિચારથી વધુ દુ:ખી થતા હતા. બધા ખેડૂતોએ મૂળરાજ પાસે જઈને આ દુઃખ જણાવ્યું. એનું દિલ દ્રવી ઊઠ્યું કે, આ કેવી રાજ્યવ્યવસ્થા ! ખેડૂતનો તો બધો આધાર મેઘરાજાની મહેર પર જ હોય છે. એક બાજુ મહેરનો અભાવ હોય અને બીજી બાજુ કરની ઉઘરાણી કરતા રાજ્યાધિકારીઓનો કાળો કેર ચાલુ હોય, આ તો પડતાને પાટુ મારવા જેવી પ્રવૃત્તિ ગણાય ! મૂળરાજ અશ્વનો જબરો ખેલાડી હતો. એક દિવસ પોતાની અશ્વવિદ્યાથી પિતા ભીમદેવને એણે ખુશખુશાલ કરી નાખ્યા. પછી એમણે વરદાન યાચવાનું જણાવ્યું, ત્યારે મૂળરાજે કહ્યું : અત્યારે આબુ તીર્થોદ્ધારક ૨૦૦
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy