________________
દીધો. પણ પંચમહાલ ખેડામંડલ આદિ પ્રદેશો પર તો ગુજરાતનો જ કબજો રહ્યો, જે આજ સુધી એમનો એમ છે.
અવંતિનો વિજય મેળવીને ઘણા દીર્ઘ સમય બાદ પાછા ફરેલા ભીમદેવ જ્યારે પાટણમાં પ્રવેશ્યા, ત્યારે પ્રજાનો આનંદ હૈયામાં સમાતો ન હતો, એમાંય વારાંગના બકુલાદેવીનો આનંદ તો અંતરના ઓવારા તોડીને બહાર વેરાઈ રહ્યો હતો.
બકુલાદેવી પાટણની એક પ્રખ્યાત વારાંગના હતી. એના દેહને વરેલી રૂપ-સંપત્તિની જેમ પવિત્ર જીવન જીવવાની ટેકની પણ જોડ જડવી મુશ્કેલ હતી. એ કાળમાં વારાંગનાઓ સાથેનો વ્યવહાર બે પ્રકારનો ચાલતો : એક બંધીનો ! બે, છૂટીનો ! દ્રવ્યના પ્રમાણ મુજબ જે વારાંગના અમુક નિશ્ચિત સમય સુધી કોઈ એક જ પ્રેમીને પતિવ્રતા નારીની જેમ સમર્પિત થઈને રહેતી, એ “બંધીની મર્યાદા પાળનારી ગણાતી હોવાથી ઉત્તમ ગણાતી. જ્યારે છૂટી”ની છૂટ ભોગવનાર વારાંગનાને માથે આવી ખાસ કોઈ મર્યાદા ન રહેતી, એના વ્યવહારમાં પૈસાની જ પ્રમુખતા રહેતી.
બકુલાદેવી “બંધીની મર્યાદા પાળનારી વારાંગના હોવાથી, એક પતિવ્રતા નારીની સમોવડી પ્રતિષ્ઠા મેળવી ચૂકી હતી. ભીમદેવના કાને આ વાત આવી અને એમણે બકુલાદેવીને સવા લાખ રૂપિયાની કટારી પાઠવીને બકુલાદેવીને ઘરેણે લીધી, બકુલાદેવી પણ ભીમદેવને ઇચ્છતી હતી. એથી એના આનંદનો પાર ન રહ્યો. પણ આ અરસામાં બન્યું એવું કે, અચાનક જ રાજવી ભીમદેવને “અવંતિવિજય'ના સંયુક્ત સંગ્રામમાં જોડાવું પડ્યું, એથી ઘરેણે લીધેલી બકુલાદેવીને એક વાર પણ ભીમદેવ મળી ન શક્યા અને યુદ્ધયાત્રામાં ઊપડી ગયા. બકુલાદેવીના બંધી-વ્રતની પૂરી પરીક્ષા કરતા રહેવા માટે એઓ પોતાના ગુપ્તચરોને આદેશ આપતા ગયા. મંત્રીશ્વર વિમલ છે ૧૯૯