________________
વિમલે અતુલ પરાક્રમ દાખવ્યું. રાજા ભીમદેવ અને કર્ણ પણ અતુલ બળી હતા. દંડનાયક વિમલને દેવી અંબિકા અને પદ્માવતીએ વરદાન રૂપે આપેલી સિંહનાદ અને અજેય વ્યક્તિત્વની શક્તિઓએ આ યુદ્ધમાં ખરેખરો પરચો બતાવ્યો, જેથી સિંહ જેવી અણનમતા માટે વિખ્યાત માલવ દેશ એક દહાડો હરણિયું બનીને રાજા ભીમદેવ અને કર્ણના પગમાં પડીને જીવનની ભિક્ષા યાચી રહ્યો.
આ
યુદ્ધમાં ચંદ્રાવતીના રાજા ધંધૂક પરમારને ભોજના પક્ષમાં ભળી ગયેલા જોઈને, ભીમદેવની આખમાં ખરેખરું ખુન્નસ ધસી આવ્યું હતું અને એમણે રણસંગ્રામમાં જ ધંધૂકને એવું રોકડું પરખાવ્યું હતું કે, એક વખત ગુજરાતને ખંડણી ભરનારો તું આજે શત્રુના પક્ષે ઊભો રહીને મારી સામે પડ્યો છે, પણ યાદ રાખજે કે, ચંદ્રાવતીને હવે થોડા જ સમયમાં ગુજરાતની આજ્ઞા નીચે ન લાવું, તો મારું નામ ભીમદેવ નહિ !
માલવામાં યુદ્ધ તો ખેલાઈ ગયું, અને વિજય પણ મળી ગયો ! પણ હવે રાજા કર્ણ ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી' ની કપટ-કળા રમવા માંગતો હતો, વિજય પછીનો અડધો ભાગ આપવામાં પણ એ હા-ના કરવા માંડ્યો. ભીમદેવને લાગ્યું કે, લાતથી માનનારની સામે વાત કરવાથી કંઈ જ સાર નહિ નીકળે, એથી દંડનાયક વિમલ અને સંધિવિગ્રહિક ડામર આદિને એમણે આજ્ઞા આપી કે, કાં કર્ણને હાજર કરો, કાં એની પાસેથી અડધો ભાગ કબૂલ કરાવો !
દંડનાયક વિમલની આગેવાની હેઠળની સેના માટે કર્ણને કેદ કરવો, એ કંઈ મોટી વાત ન હતી ! થોડા જ કલાકોમાં કેદી તરીકે કર્ણને ભીમદેવ પાસે હાજર કરાયો અને એની પાસેથી અડધો ભાગ કબૂલ કરાવાયો. પંચમહાલ ખેડામંડળ આદિ ઘણોમોટો પ્રદેશ ગુજરાતને મળ્યો. (જોકે આ પછી થોડા કાળ બાદ માલવાધિપતિ જયસિંહ, ઉત્તરાધિકારી ઉદયાદિત્ય અને સેનાપતિ જગદેવ આદિએ ગુજરાતના કબજામાંથી આ પ્રદેશને છોડાવીને પુનઃ માળવામાં મેળવી
આબુ તીર્થોદ્ધારક
૧૯૮