SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તો આપણે બંને એક જ સમયે પોતપોતાના ગામમાં એક મંદિર બંધાવવાનું શરૂ કરીએ. એમાં જે મંદિર પહેલું બંધાઈ જાય, એ મંદિરની પ્રતિષ્ઠા-વિધિમાં બીજા રાજાએ છત્ર, ચામર આદિ રાજચિહ્નોનો ત્યાગ કરીને ભાગ લેવો અને પોતાનો પરાજય કબૂલ રાખવો. આ શરત રાજા કર્ણ જીતી ગયા હતા, કારણ કે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીમાં, હજારો માણસોને કામે લગાડી દઈને ૫૦ હાથ ઊંચું મંદિર બંધાવવામાં એઓ સફળ થયા હતા, જ્યારે રાજા ભોજ તો આટલા સમયમાં મંદિરના પાયા પણ પુરાવી શક્યા નહોતા. એથી શરત મુજબ ભોજ રાજાએ કર્ણરાજ દ્વારા નિર્મિત મંદિરની પ્રતિષ્ઠામાં રાજચિહ્નોને મૂકીને હાજરી આપવી અનિવાર્ય બનતી હતી. પણ ભોજ રાજાએ આ શરતને ફગાવી દીધી હતી. આથી પણ કર્ણરાજાની વિજિગીષાની આગ વધુ ભભૂકી ઊઠી હતી. એમાં વળી ગુર્જરેશ્વરનો સાથ-સહકાર મળી ગયો, પછી તો પૂછવાનું હોય જ શું ? સંયુક્ત-સેનાનો ધસમસતો એ સાગર માલવામાં પેઠો, એની વિરાટતાના સમાચાર ગુપ્તચરો દ્વારા સાંભળીને જ રાજાભોજે અદમ્ય આઘાત અનુભવ્યો. એઓ વિચારી રહ્યા કે, આજ સુધી રળાયેલી મારી આબરૂના હવે શું લીરેલીરા ઊડી જશે ? આના કરતાં તો હું આ સંગ્રામ આવ્યો, એ પૂર્વે મૃત્યુને વર્યો હોત, તો વધુ સારું થાત ! બસ, આ જાતનો આઘાત વધુ ઘેરો બનતો ચાલ્યો અને થોડા જ દિવસોમાં સાચેસાચ રાજાભોજનું પ્રાણપંખેરું ઊડી ગયું. માલવા પર ઊતરનારી ગુલામીને જોવાનો અવસર ન આવ્યો, એનો ભોજને મન સંતોષ હતો,એથી એ મોત રાજા ભોજને ખૂબ જ મીઠું લાગ્યું. રાજા ભોજ ગયા અને એક સૂર્ય આમથમી ગયો ! માલવાનું પતન હવે નક્કી હતું, બંને સેનાઓનો સાગર એક દહાડો ધસમસતો- ધારામાં પેઠો, ધારા અને ગુજરાત વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. એમાં દંડનાયક મંત્રીશ્વર વિમલ ૧૯૭
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy