SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ષે અવંતિ સામે યુદ્ધ જાહેર કર્યું હતું. એણે ખુલ્લંખુલ્લી હાકલ કરી હતી કે, રાજવી ભોજ ! તમે ૧૩૭ રાજાઓના સ્વામી છો અને અનેક બિરુદોના ધારક છો. માટે કાં આ બધાની માલિકી મને સોંપી દો, કાં મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ. આ સમાચાર મળતાં જ રાજા ભીમદેવે શત્રુના શત્રુને મિત્ર માનવાની નીતિ અખત્યાર કરવાનો વિચાર કર્યો અને ચતુર દૂત દ્વારા કર્ણને કહેવડાવ્યું કે અવંતિ સાથે ગુજરાતને પણ બાપે માર્યા વેર ચાલ્યાં આવે છે. માટે તમે સંમત થતા હો, તો આપણે બંને ભેગા થઈને ભોજની સામે પડીએ. પછી અવંતિની તાકાત નથી કે, એ સ્વતંત્રતાના ધ્વજની પક્કડ ટકાવી શકે ! માળવાને જીતીને આપણે અડધું વહેંચી લઈશું. કર્ણને પણ સહાયની થોડીઘણી અપેક્ષા તો હતી જ. એથી એણે ભીમદેવનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સંયુક્ત-સંગ્રામ જાહેર થયો. એટલામાં એક દહાડો ધારાનગરીમાં રહેતા ડામરે પણ એક સાંકેતિક સંદેશો પાઠવ્યો કે, આમ્રફળ પાકી ગયું છે, એનાં ડીંટાં ઢીલાં પડી ગયાં છે અને હવા જોરશોરથી ચાલી રહી છે. હવે આનું ભાવિ પરિણામ શું આવશે, એની કોઈ ખબર નથી ! ભીમદેવને થયું કે, આ સમાચાર માળવાની વર્તમાન દશા તરફ સંકેત કરી જાય છે. અત્યારે માળવાની દશા આવા આમ્રવૃક્ષ જેવી છે અને વિગ્રહનો વાયરો જોરશોરથી વાઈ રહ્યો છે. એથી હવેના ભાવિના ઘડવૈયા આપણે બનવાનું છે. ભીમદેવે દંડનાયક વિમલ આદિને ભેગા કરીને “અવંતિ-વિજય' કાજના ચિરદષ્ટ સ્વપ્નને સાકાર બનાવવા માટે આવી પહોંચેલી અનુકૂળ અને અણમૂલ તકની વાત કરી, સૌએ એને વધાવી લીધી અને એક દહાડો ગુર્જર સૈન્ય અવંતિ તરફ આગેકૂચ કરી ગયું. એ સૈન્યના દંડનાયકનું માન-સ્થાન વિમલ સિવાય કોણ શોભાવી શકે એમ હતું મંત્રીશ્વર વિમલ ર૦ ૧૯૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy