________________
ફજેત કરવાની અથવા તો ભોજના ક્રોધની આગમાં મને હોમી દેવાનું નક્કી આ એક કાવતરું જ હોવું જોઈએ. પણ આ બંદાને કોણ પહોંચે એમ છે? એણે વળતી જ પળે હસતાં હસતાં કહ્યું કે, મહારાજ ! આ બાળકોની સભા છે કે બુદ્ધિમાનોની ? એક રાજા બીજા રાજાને આવી ચીજ ભેટણા રૂપે મોકલતા હોય, તો એની પાછળ કોઈ રહસ્ય હોવું જ જોઈએ, એટલો વિચાર તો એક નાનો બાળક પણ કરી શકે છે. મારો આ પ્રશ્ન છે જ્યારે અહીં તો તલવાર તાણીને બધા ઊભા થઈ ગયા છે ! આ કંઈ તલવાર તાણવાનું રણમેદાન થોડું છે?
સૌ ઠંડાગાર થઈ ગયા. પોતાની ઉતાવળી વૃત્તિ પર બધા ભોંઠપ અનુભવી રહ્યા, રાજા ભોજે સાહજિકતાથી પૂછ્યું : ડામર ! આ રાખ પાછળનું રહસ્ય જાણવા સૌ આતુર છે.
મહારાજ ! રાખ નહિ, પણ ભસ્મ બોલો ! અમારા મહારાજે થોડા સમય પહેલા “કોટિહોમ' યજ્ઞ કરાવ્યો હતો. આજે આવા યજ્ઞો જવલ્લે જ યોજાતા હોય છે. એથી એક મિત્ર-રાજ્ય તરીકે મહારાજ ભીમદેવે આપને ખાસ યાદ કરીને એ યજ્ઞની ભસ્મ આ સુવર્ણ ડબ્બીમાં ભરીને પાઠવી છે. રાખને કોઈ આવી રીતે શણગારે ખરું? આટલોય વિચાર આ સભામાં કોઈને ન આવ્યો?
ડામરે જબરો ટોણો માર્યો. થોડી વારમાં તો એ ભસ્મને માથે ચડાવવા મેળો જામી ગયો અને આવી પવિત્ર ભસ્મ આણવા બદલ ભોજે ડામરના શરીરને આભૂષણોથી ભરી દીધું. થોડા દિવસ રહીને ડામર ગુજરાત જવા નીકળ્યો. પાટણ પહોંચીને ભીમદેવના ચરણ ચૂમતાં એણે કહ્યું : આપનો આ ચાકર, ભોજ રાજાને આપનું ભેટયું આપીને અને એના બદલામાં આવું ઈનામ-અકરામ પામીને આવી પહોંચ્યો છે. હવે આવું કંઈ કાર્ય હોય, ત્યારે આ સેવકને જરૂર વિના સંકોચ યાદ કરવા વિનંતી.
રાજા ભીમદેવ ડામરની વાત સાંભળીને વિમાસણ અનુભવી રહ્યા. પણ જ્યારે વિગતવાર આખી ઘટના જાણી, ત્યારે તેઓ ડામરની પીઠ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૯૩