________________
તમે જ બચાવી શકો. તમને ન મારું તો ગુજરાતનો કોપ ઊતરે, મારું, તો માળવાની મહાનતા પર દુકાળનો કોપ ઊતરે ! માટે કંઈક રસ્તો કાઢો. જેમ તમને તમારી જન્મભૂમિ તરીકે ગુજરાતનું ગૌરવ હોય, એમ અમનેય માલવા તરફ માનની લાગણી હોય, એ તમે સમજી શકો એમ છો !
ડામરે હવે વાતને વળાંક આપતાં કહ્યું ઃ મહારાજ ભોજ ! આ વાતનો તો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? અમે ગુજરાતનાં ગાણાં ગાઈએ, એમ માલવીઓમાં માલવાની મહાનતા કાજેનું ગૌરવ તો હોવું જ જોઈએ, અને એક મિત્ર-રાજ્ય તરીકે માલવાની સાવ ઉપેક્ષા તો મારાથી પણ કઈ રીતે થઈ શકે ? જો આપની આવી જ ઇચ્છા હોય તો આ બંદાને માટે ભીમદેવને સમજાવી લેવા, એ રમત વાત છે ! હું એવી બાજી રચીશ કે, જેથી લાકડી ભાંગે નહિ ને સાપ મરે નહિ !
રાજા ભોજે ખુશ થઈને ડામરને ઇનામ-અકરામથી લાદી દેતાં કહ્યું કે, દાનો દુશ્મન તે આનું નામ ! ડાહ્યો દુશ્મન પણ સારો, ગાંડો મિત્રય નકામો ! આ કહેવત આજે માળવા માટે તો અક્ષરશઃ સાચી પડી રહેલી જણાય છે !
આખી સભામાં આનંદ આનંદ છવાઈ ગયો. ડામર જે મુખ્ય કામ માટે આવ્યો હતો, એ કામ પતાવીને ચાર-પાંચ દિવસ પછી એણે ગુજરાતની વાટ પકડી. એને બરાબરનો ખ્યાલ આવી ગયો હતો કે, શેઠની શિખામણનું જે નાગું સત્ય મેં ભીમદેવને સંભળાવ્યું હતું, એનો ગુસ્સો જ ભીમદેવે આ રીતે ઠાલવ્યો હોવો જોઈએ. એથી પોતાની બુદ્ધિના પ્રભાવનું પ્રદર્શન કરાવવા ઝડપી ગતિએ એ પાટણ પહોંચી ગયો. મોતના મોમાંથી ઇનામ-અકરામ લઈને છટકી આવેલા ડામરને, ભીમદેવ ફાટી આંખે જોઈ જ રહ્યા. અને એની બુદ્ધિ-ચાતુરી પર સૌ વારી ગયા. આખી ઘટના સાંભળીને તો સૌ છક્ક જ થઈ ગયા.
આ બનાવ પછી થોડા દિવસો સુધી તો ડામરે રાજા ભીમદેવની આમન્યા બરાબર જાળવી. પણ પાછા મૂળ સ્વભાવ પર આવી જતાં
મંત્રીશ્વર વિમલ
૧૯૧