SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજને તો ગમે તે રીતે આ રહસ્ય જાણવું હતું. એમણે કહ્યું : એમ તો એમ, પણ તમે એક વાર આ બધી ચોખવટ કરો. ભોજ તરફતી આવી બાંયધરી મળ્યાથી સંતોષનો ભાવ વ્યક્ત કરતાં ડામરે કહ્યું ઃ મહારાજ ! વાત જાણે એવી છે કે, મારા જન્માક્ષરમાં એવું લખ્યું છે કે, આ માણસનું લોહી જ્યાં રેડાશે, ત્યાં બાર વર્ષનો દુકાળ પડશે. એથી રાજા ભીમદેવે ગુજરાતની સામે વાતે વાતે અડપલાં કરનારા માલવની મહત્તાને વિના સંગ્રામે, માટીમાં મેળવવા આ યુક્તિ અજમાવી લાગે છે. અહીં મારું લોહી પડશે, એનો મને આનંદ છે, કારણ કે ગુજરાતની મા-ભોમ કાજે આવું મૃત્યુ તો કોકને જ મળે. આ રીતે મરવા માટે તો ભાગ્ય જોઈએ. બોલો, રાજા ભોજ ! હું મોજથી મરવા તૈયાર થયો છું અને વધેરાઈ જવા અધીરો બન્યો છું, એ યોગ્ય છે કે નહિ ? એક ગુજરાતીની આવી વતન-ભક્તિ જોઈને ભોજ મોજમાં આવી ગયા. એણે કહ્યું : ધન્ય છે ગુજરાતને કે, જેણે મા-ભોમ કાજે મરી ફીટનારા આવા મહારથી મર્દોને જન્મ આપ્યો ! ડામર ! તમારી આવી આદર્શ ભક્તિમાંથી માલવાએ ઘણું ઘણું શીખવા જેવું છે. ડામરે કહ્યું ઃ મહારાજ ! હવે મીઠી મીઠી વાતો કરવી રહેવા દો. મેં મારું વચન બરાબર પાળ્યું, હવે આપ તલવાર તાણો, પળનોય વિલંબ હવે મને પાલવે એવો નથી. ભવોભવનાં ભાગ્ય જાગ્યા પછી આવી પુણ્ય તક મળી છે. એને આવકારવામાં પળનોય વિલંબ કેમ સહી શકાય ? રાજા ભોજની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ ! વચન પાળવા જાય, તો માળવાની ધરતીને દુકાળની કાળઝાળ આગમાં ઝીંકવાનું થાય અને માળવાને આ આગથી બચાવવા જાય, તો ડામરને આપેલું વચન તોડવું પડે ! એથી એમણે કહ્યું ઃ ડામરભાઈ ! તમારી બુદ્ધિ વખણાય છે અને મારા માટે એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવો ઘાટ ઘડાયો છે. આમાંથી મને જો બચાવી શકો, તો આબુ તીર્થોદ્ધારક ૧૯૦ Ox
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy