SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ જ્યારે કંઈ ન જણાવ્યું, ત્યારે પોતાનાં કપડાં ખંખેરીને ડામર ઊભો રહ્યો. રાજાએ સાશ્ચર્ય પૂછ્યું : આમ કપડાં ખંખેરવાનું કંઈ કારણ ? ડામર જરા ગુસ્સામાં હતો, એણે કહ્યું : મહારાજ ! શેઠની શિખામણ તો ઝાંપા સુધી લઈ જવા જેવી પણ હોય છે, પણ આપે આપેલી આ બધી સલાહ-શિખામણો જો સાથે લઈને જઉં, તો આપનું પ્રયોજન જ સિદ્ધ ન થાય, માટે આપે સમજાવેલું-સંભળાવેલું બધું અહીં ખંખેરીને જ મારે જવું પડે એમ છે. શીખવેલું ત્યાં કામ ન લાગે, એ તો ત્યાં ત્યારે જે યોગ્ય લાગે, એ બોલવું પડે. પડશે એવા દેવાશે, આ વાતનો જાણકાર જ એલચી તરીકે શોભી શકે ! જ તીખાં તમતમતાં કટાક્ષ-બાણ છોડીને રાજાના હૈયામાં રોષાગ્નિ પેટાવીને ડામર રવાના થયો. એણે આટલું કહીને રાજાને કહેવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. રાજા કરતાં કોઈ શેઠની શિખામણ વધુ ગ્રાહ્ય હોવાનું જણાવીને તો એણે ભીમદેવનું હડહડતું અપમાન જ કર્યું હતું, એથી સળગી ઊઠેલા રાજાએ તરત જ એક બીજા દૂતને ટૂંકા રસ્તે માળવા તરફ રવાના કરીને, એના સાથે એક વિચિત્ર સંદેશો ભોજ પર લખીને મોકલ્યો. ભીમદેવ એવા ગુસ્સામાં હતા કે, પોતાના પ્રયોજનની અગત્યતા ભૂલી બેઠા અને ડામરને બોધપાઠ આપવાનો મુદ્દો મુખ્ય બની બેઠો. ડામર થોડા દિવસની મુસાફરીને અંતે રાજા ભોજની સભામાં જઈ ઊભો. ગુજરાતની કોઈ વાત એ રજૂ કરે, એ પૂર્વે તો પોતાની પર ભીમદેવનો આવી ગયેલો એક વિચિત્ર સંદેશો, ડામરના હાથમાં આપતાં ભોજે સાશ્ચર્ય પૂછ્યું કે, આ સંદેશો રાજા ભીમદેવનો જ લાગે છે ને ? ડામર એ સંદેશ વાંચીને ખુશખુશાલ થઈ ગયો. એમાં લખ્યું હતું કે, રાજવી ભોજ ! અમારી આજ્ઞાથી એક અગત્યના પ્રયોજન માટે ડામર ત્યાં આવવા રવાના થઈ ગયો છે. પણ અમે એની પર રોષે ભરાયા છીએ, એથી આ સંદેશ દ્વારા જણાવીએ છીએ કે, તમે આબુ તીર્થોદ્વારક ૧૮૮
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy