________________
ઉડાવે. માટે આપ કાકાના વેરની વસૂલાત લેવાના જે વિચાર પર આવ્યા છો, એને મારાથી અનુચિત કે અયોગ્ય તો કેમ જ કહેવાય ? પણ ગુજરાતની અમારી તૈયારીનું શું? ગુજરાતી બચ્ચો, તલવારના તોરણ બાંધીને સમરાંગણમાં આપને સત્કારવા થનગની રહ્યો છે એનું શું? આ સંગ્રામ માટે તો સૌ એટલા બધા ઉત્સુક છે કે, આપ તિલંગ તરફ જાવ, તો અપયશનો ટોપલો સૌ મારી પર ઢોળે કે, આ ડામરે કંઈ અડપલું કર્યું હશે, તેથી રાજા ભોજે રણવાટ બદલી હશે? - ભોજરાજે મંત્રીમંડળ સામે પ્રશ્નસૂચક નજર કરીએ તો જવાબ મળ્યો કે, મહારાજ ! અત્યારે તો તૈલપ સામે જ તલવાર તાણવા જેવી લાગે છે. સંધિવિગ્રહિક આ ડામર હાજર છે, અને અહીંથી જ હવે તિલંગની વાટ ફંટાય છે. માટે સંધિના જૂના કોલ-કરારને દઢતાથી વળગી રહેવાનો નિર્ધાર લેખ અને મૈત્રી સૂચક ભેટણું, આ ડામરને આપીને આપણે કાલે જ તિલંગ તરફ પ્રયાણ કરી દઈએ !
ભોજરાજે આ વાતને વધાવી લીધી. ડામરે દિલગીરીનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું : મહારાજ ! આપની સમક્ષ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે, રણવાટ બદલવી પડે ! બાકી આ સમાચાર લઈને ગુજરાત જતાં મારું મન માનતું નથી. ગુજરાતના બધા મનોરથો આ સમાચાર સાંભળતાં જ માટીમાં મળી જશે. પણ મિત્રરાજ્ય તરીકે આટલી સહાનુભૂતિ દાખવવા અંગે ગુજરાતને સમજાવવા પ્રયાસો કરવા જ પડશે, એ કરીને પણ હું અવશ્ય ગુજરાતને મનાવી લઈશ.
બીજા દિવસની સવારે રાજા ભોજની વિજય-યાત્રાની વાટ બદલાઈ અને ડામર ગુજરાત તરફ રવાના થયો. ત્યારે એ મૂછમાં હસી રહ્યો હતો. આ નાટકનું નાટક રચવામાં ડામરનો હાથ હતો, એ તો માલવપતિ ભોજ રાજ સિવાય કોઈને પણ વિના કો સમજાઈ જાય એવી વાત નહોતી શું?
મંત્રીશ્વર વિમલ
૨૦ ૧૮૫