________________
ડામરે તરત છણકો કરતાં કહ્યું : મહારાજ, નાટકમંડળી આપની દૃષ્ટિએ હોશિયાર હશે, પણ એણ એક મોટી ભૂલ કરી છે. તૈલપદેવ ત્યારે જ બરાબર ચિત્રિત થયા ગણાય કે, જ્યારે એમના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મુંજદેવનું ધડથી અલગ કરાયેલું માથું હોય ! મુંજના માથા વિનાના તૈલપને ઓળખતાં જરા મુશ્કેલી પડે છે, જો આ રીતે મુંજનું માથું હાથમાં મૂકવામાં આવ્યું હોત, તો તો તૈલપનો આ અભિનય ખરેખર હૂબહૂ ગણાત !
ડામરે ખરો ટોણો માર્યો હતો ! આમ કહીને એણે રાજા ભોજની નસેનસમાં વેર લેવાના ખુન્નસને વહેતું કરી દીધું.
રાજા ભોજને એ ઘડી-ક્ષણ યાદ આવ્યાં, જ્યારે એમણે પોતે ભરી સભામાં કાકા મુંજરાજને કેદ કરનાર તૈલપને તલવારના વારે ઊડાડી મૂકવાની પ્રતિજ્ઞા સ્વીકારી હતી ! પણ એક પછી એક સંજોગો એવા આવ્યા કે, એ પ્રતિજ્ઞા વીંસરાતી ગઇ ! આ નાટક અંગે ડામરે કરેલી ટકોરથી એ પ્રતિજ્ઞાનો શબ્દેશબ્દ પુનઃ તાજો થઈ ગયો અને વેરની વસૂલાત લેવાના ખુન્નસથી ખળભળી ઊઠતા ભોજ વિચારી રહ્યા કે, તો
‘મારો ખરો દુશ્મન તો તૈલપ છે, ગુજરાતે મારો કોઈ મોટો ગુનો કર્યો નથી. માટે મારે પહેલાં તૈલપની ખબર કાઢી નાખવી જોઈએ. જેથી મારી પ્રતિજ્ઞા પૂરી થાય અને એ પુરાણા વેરની વસૂલાત પણ
થાય.'
ભોજ રાજાના લોહીનું બુંદેબુંદ ‘વેર-વેર'ના પ્રચંડ પોકારોથી ખળભળી ઊઠ્યું હતું. એથી એમણે તરત જ આદેશ આપી દીધો કે આપણી વિજયયાત્રાને સૌ પ્રથમ તિલંગ દેશ તરફ વાળો.
સંધિવિગ્રહિક ડામર ત્યાં હાજર હતો. એણે કહ્યું : મહારાજ ભોજ ! આપના આ નિર્ણયની અનુચિતતા અંગે મારાથી કેમ કંઈ કહી શકાય ? કારણ કે સાંભળવા મુજબ હજી પણ તૈલપે મુંજરાજનું એ મસ્તક ફાંસીના માંચડે લટકાવેલું રાખ્યું છે રોજ એની પર એ દહીં રેડાવે છે, એથી રોજ એની પર કાગડાઓ આવીને બેસે અને ઉજાણી
આબુ તીર્થોદ્વારક
૧૮૪
Ox