________________
ડામરના આ જવાબમાં જબરો કટાક્ષ હતો. ભોજ વિચારી રહ્યા કે, આ ડામરે તો મને અધમ કક્ષાનો સાબિત કર્યો. શું હું રૂપમાં કદરૂપો છું કે, મારી સામે આવા કદરૂપા ડામરને રવાના કર્યો !
ભોજ મૌન થઈ ગયા. વધુ બોલીને બંધાવામાં મજા નહોતી. વિજય કાજે અવંતિથી રવાના થયેલ એ યાત્રા ત્યાં લગી આવી પહોંચી, જ્યાંથી ગુજરાતના મુખ્ય માર્ગથી અન્ય અન્ય દેશો તરફ જવાના રાહ ફંટાતા હતા. આ સ્થળે બે દિવસનો મુકામ નક્કી થયો. બીજા દિવસની રાતે એકાએક એક નાટકમંડળીનું આગમન થયું. એણે રાજા ભોજ સમક્ષ “તિલંગાધિપતિ’ નામનું નાટક ભજવવાની અનુજ્ઞા માગી. તિલંગનું નામ સાંભળતાં જ ભોજ રાજાની સમક્ષ તૈલપ અને તૈલપે પોતાના કાકા મુંજરાજને કેદ કરીને ગુજારેલા સિતમો યાદ આવ્યા. એથી આ નાટક જોવાની ઉત્કંઠા એઓ રોકી શક્યા નહિ. અનુજ્ઞા મળતાં જ નાટક શરૂ થયું. ડામરને ભોજ રાજાની પાસે જ બેઠક મળી હતી.
રાત જેમ આગળ વધવા માંડી, એમ નાટકનો રસ બરાબર જામવા માંડ્યો : મુંજરાજ અને તૈલપ વચ્ચેનું ખૂનખાર યુદ્ધ ! મુંજરાજના સાહસનું ભવ્ય દર્શન ! જંગ જામતાં જ તૈલપની મુઠ્ઠીમાં પકડાયેલા મુંજરાજ ! એમનો કેદવાર ! સુરંગ દ્વારા થયેલા મુક્તિના પ્રયાસને, તૈલપની બહેન અને મુંજની પ્રેમિકા મૃણાલવતીની કપટલીલાએ અપાવેલી કારમી નિષ્ફળતા અને ત્યાર બાદ ઘરઘરમાં ભીખ માંગતા ભિખારી રૂપે મુંજરાજનું ચિત્રણ : અંતે ફાંસીના માંચડે મુંજરાજનું મરણ !
આ બધી દૃશ્યાવલિ જોતાંની સાથે જ ભોજરાજા વીર અને વેરના રસથી ઘેરાઈને વિચિત્ર લાગણીઓ અનુભવી રહ્યા. એમાંય છલ્લે તૈલપદેવનું જે હૂબહૂ દર્શન નાટકિયાએ કરાવ્યું, એ જોઈને ભોજ બોલી ઊઠ્યા : ડામર ! નાટક મંડળીએ આ પાત્ર તો આબાદ ભજવ્યું ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૮૩