SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના આવા અણનમ ગૌરવ ૫૨ ભોજ મનોમન અહોભાવ અનુભવી રહ્યા, એમણે કહ્યું કે, ગુજરાતનું રણાતિથ્ય માણવા તો હું આ કાફલા સાથે ઊપડ્યો છું, એથી વાટને બદલવાનો તો કોઈ સવાલ જ ક્યાં રહે છે ! ‘તો તો સારું, ભોજરાજ ! બાકી રાજાઓનું કંઈ કહેવાય નહિ, આથીય મોટો વિજય મેળવવાની આશા બંધાય, તો એમને રણવાટ બદલી લેતાં કોણ રોકી શકે ? જેનું આતિથ્ય સ્વીકારી લીધું હોય, એનાં પીરસેલાં ભાણાં પડ્યાં રહે, એનો વિચાર પણ એમને ન આવે ! આ આપની વાત નથી હો; ખોટું લાગ્યું હોય, તો માફ કરજો. બાકી રાજસ્વભાવ આવો હોય છે, એવો મારો અનુભવ છે.’ ડામરે ચોખ્ખચોખ્ખું સંભળાવી દીધું. રાજા ભોજ પણ આજે મોજમાં હતા. એમણે કહ્યું : એક વાત પૂછું ? એક જ શા માટે, હજાર પૂછો ને ? આ ડામર જવાબ આપવા તૈયાર છે. આવા જંગલમાં વાતો સિવાય સમય પસાર કરવા વળી બીજો કોનો આશરો લઈ શકાય ?’ ડામરે જ્યારે પૂરી તૈયારી બતાવી, ત્યારે ભોજે કટાક્ષનાં બાણ છોડતાં પ્રશ્ન પૂછ્યો : સાંભળ્યું છે કે ગુજરાતનું રાજ્ય બહુ વિશાળ છે, તો ‘સંધિવિગ્રહિક'ના વિભાગમાં તમારા જેવા કેટલાને ભીમરાજે ભેગા કર્યા છે ? રાજાનો કટાક્ષ એવા ભાવનો હતો કે, ભીમરાજે શું આવા કદરૂપા સંધિવિગ્રહિકો જ ભેગા કર્યા છે ? આ કટાક્ષને સમજી જઈને ડામરે જવાબ વાળતાં કહ્યું : ‘મહારાજ ! ભીમદેવે પોતાના સંધિવિગ્રહિકોને અધમ, મધ્યમ અને ઉત્તમ : આ વિભાગમાં વિભાજિત કર્યા છે અને જેવો રાજા હોય, એવી કક્ષાના સંધિવિગ્રહિકોને એઓ મોકલતા હોય છે. આમ, અમારા રાજાના સંધિવિગ્રહિકો તમારા જેવા રાજાઓને પોતાનું સ્વરૂપ જોવા અરીસાની ગરજ સારે એવા હોય છે. બોલો, હવે બીજું કંઈ પૂછવું છે ? આબુ તીર્થોદ્વારક ૧૮૨
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy