________________
વિદિશામાં વળાંક આપવાનો પ્રયત્ન કરવો જરૂરી ગણાય. જો આમાં સફળતા મળે, તો જ ગુજરાતનું ગૌરવ અખંડ રહે !
ભીમરાજની સભામાં ડામર નામનો એક સંધિવિગ્રહિક (એટલે એલચી) રહેતો હતો. દેખાવમાં એ જરા કદરૂપો હતો, પણ બુદ્ધિમાં એના જેવો બળિયો કોઈ ન હોવાથી એક રત્ન તરીકેની પ્રતિષ્ઠા એને મળી હતી. એ જરા આખાબોલો હતો, પણ એની બુદ્ધિમાં સૌને શ્રદ્ધા હોવાથી દુધાળા ઢોરની પાટું ખાઈ લેવાની જેમ એના આ દોષને સૌ સહી લેતા. લડાઈને જ્યારે ગંભીર મામલા ઊભા થતા, ત્યારે ગુજરાતના હિતમાં પરિસ્થિતિનું નિર્માણ કરવા ડામરનો આશ્રય લેવામાં આવતો અને એ ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ એકદમ અનુકૂળ બનાવવાના દાવ ખેલવામાં વિજયી નીવડતો. રાજા ભીમદેવે ડામરને યાદ કરીને કહ્યું : તારા બુદ્ધિબળની જરૂર પડી છે. ભોજ ગુજરાત તરફ યુદ્ધ લઈને આવી રહ્યા છે અને અહીં ગુજરાતમાં તો ભયંકર દુકાળ છે. આવા વાતાવરણમાં સૈન્ય લડે કઈ રીતે ? અને વિજય કઈ રીતે મેળવાય ? માટે તું કોઈ કરામત કરે અને ભોજની વિજય-યાત્રાને તું બીજી જ કોઈ દિશા પકડાવે, તો ગુજરાતનું ગૌરવ જળવાય એમ છે ! - ડામરે કહ્યું : ઓહ! આટલી જ વાત છેને? આપ મજા કરો, ભોજને રમાડીને, એના યુદ્ધને બીજી દિશા પકડાવીને અને ઉપરથી ભોજ પાસેથી દંડ વસૂલ કરીને હું ન આવું, તો મારું નામ ડામર નહિ !
ડામરની વાતમાં શ્રદ્ધાનો જે રણકો રેલાઈ રહ્યો હતો, એથી ભીમદેવ ખુશખુશાલ થઈ ગયા. એમણે કહ્યું : ડામર ! એમ કરજે કે...
ડામરે અધવચ્ચે જ પોતાની આખાબોલી તાસીરનો પરિચય આપતાં કહ્યું: મહારાજ! આપને પાડાપાડીથી કામ છે કે દૂધથી ! મને ત્યારે જે યોગ્ય લાગશે, એ કરીશ, પણ આપ એટલું નોંધી રાખો કે, ટાઢા પાણીએ આ ખસ કાઢીને જ આવીશ.
૧૮૦ ૬ આબુ તીર્થોદ્ધારક