________________
થવાનો કાળ ક્યારે પાકવાનો હતો? એને તો કેવલજ્ઞાની સિવાય બીજું કોણ જાણી શકવા સમર્થ હતું?
– – માનવીનો અધિકાર તો માત્ર મનના માંડવે મનોરથની સૃષ્ટિના અવતરણ પૂરતો જ છે. મનોરથના એ રથને અશ્વો સાથે જોડીને ગતિ આપવાની સંપૂર્ણ સત્તાની સ્વાધીનતા અંગેનો માનવનો દાવો કદી ટકી શકતો નથી.
સિંધુ અને ચેદિના ભવ્ય વિજય પછી રાજા ભીમદેવ અવંતિ પર વિજય મેળવવાની મનોરથમાળા રચી રહ્યા હતા, પણ એ મનોરથ જ રહ્યા, અને ગુજરાત દુકાળની અગનજાળમાં સપડાયું. એ આગની ઝપટમાં આવીને કણ અને તૃણના ભંડારોથી સમૃદ્ધ ગુજરાતનો કણનો એ પુરવઠો ખલાસ થવા આવ્યો. આમ, એક તરફ દુકાળ ચાલી રહ્યો હતો, ત્યાં દુકાળમાં અધિક મહિનાની કહેવતને સાચી પાડવા રાજા ભોજે ગુજરાત સામે યુદ્ધ જાહેર કર્યું.
કુલચંદ્ર ગુજરાત પાસેથી જે જયપત્ર ઝૂંટવી લાવ્યો હતો, એને તો રાજા ભોજ એક રમકડું જ સમજતા હતા. એમને થતું હતું કે, આમ કરીને તો કુલચંદ્ર મારી આબરૂને બટ્ટો લગાડ્યો ! એથી એઓ વહેલી તકે ગુજરાત પર વિજય મેળવીને પોતાની આબરૂને અણદાગ બનાવવા માગતા હતા. એમાં ગુજરાતમાં ડોકાઈ રહેલા દુકાળના સમાચાર મળતાં જ રાજા ભોજે આક્રમણ જાહેર કર્યું. એમની દૃષ્ટિએ દુષ્કાળથી જ દૂબળા બનેલા ગુજરાત પર વિજય મેળવવાની આ સુંદર તક હતી.
રાજા ભોજે ગુજરાત તરફ પોતાની વિજયયાત્રાને લંબાવી, આ સમાચાર મળતાં જ ભીમદેવ નેઢ, વિમલ આદિ સૌએ ગંભીર મંત્રણાઓ કરી, એમાં અંતે એવું તથ્ય તારવવામાં આવ્યું કે, ગુજરાતમાં વ્યાપેલી દુષ્કાળની પરિસ્થિતિના કારણે અવંતિને હંફાવવું અશક્ય હોવાથી ગમે તે ઉપાયે ભોજ રાજાની વિજય-યાત્રાને મંત્રીશ્વર વિમલ ૧૭૯